March 24th 2008

માબાપની માયા

                           માબાપની માયા
તાઃ૧૯/૩/૦૮          અમદાવાદ           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માબાપની માયા લાગી જેને, ભવ સુધરશે તેનો
ઉજ્વળ જીવનજીવી જશેને,જન્મ સફળ ભઇએનો
                             ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

પ્રભુ સ્મરણથી પામર જીવન,પ્રેમ પ્રભુનો લેશે
માબાપની સેવા પ્રેમથીકરતાં,હૈયાનુ હેત ઉભરશે
                             ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

મા ના પ્રેમની સાથે,ભઇ પ્રેમ પિતાનો મળશે
સંતાન થયાની સેવાથી,ઉજ્વળ જીવન તરશે
                            ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

મળતી માયા સેવાથી,ના માગણી કોઇ કરતું
પ્રેમભાવથી નમવાથી,ઉભરાયેલ હેત મળતું
                            ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

આવ્યા ક્યાંથી ક્યાં જવાના,કોઇ નથી કહેવાનું
લાગણી પ્રેમને સ્નેહ મળવાના,બીજુનહીંસહેવાનું
                            ના એમાં કાંઇ શંકા,ના એમાં કોઇ મેખ.

##########################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment