November 2nd 2008

જનેતાની જય હો

                    જનેતાની જય હો   
તાઃ૧/૧૧/૨૦૦૮                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવન મહેંકી ઉઠે,ને સદા હૈયે રહે હેત
પ્રેમની પાવક જ્વાળાથી, જીવનમાં રહે મહેંક

અવની પરના આગમનને,ઉજ્વળ કરવા છેક
જન્મદાતાની અસીમ કૃપાએ, વહે પ્રેમ અનેક
સન્માન મળ્યા છે જગમાં,ને પામે સૌનો પ્રેમ
માતાપિતાનિ કરુણા એવી,બાળક બને છે નેક
લાગણી હૈયે સંતાનને,જેને મળે માતાનો પ્રેમ
વહે સરીતા પ્રેમની, ને હૈયે ઉભરે અનંત સ્નેહ
એવી જનેતાના સંતાન,કરે જનેતાનો જયજયકાર

કરુણા હૈયે વસી રહે, ને લાગણી થાય અપાર
સૌની સાથે સ્નેહ રહે,ને મનમાં સદાઉભરે હેત
મારું મારું વળગે ના,જ્યાં સંસ્કારે વહે છે સ્નેહ
આતમદીપની જ્યોતજલે, ને દુઃખડાં ભાગે દુર
શુરવીરતાની સાંકળ તુટે, જ્યાં આર્શીવાદે હેત
એવી જનેતાના સંતાન,કરે જનેતાનો જયજયકાર

—————————————————–

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment