November 4th 2008

જીવનો માર્ગ

                           જીવનો માર્ગ

તાઃ૩/૧૧/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ લગાડી છે માયા સાથે, સંસારે જીવ ખટકાયો
ભક્તી સાચી,શ્રધ્ધા રાખી, જગજીવનથી અટકાવો

મળતા માનવદેહ ધરતી પર,સેવા સાથે મળનારી
સમજુ જીવ મુક્તિ માગે,આજગે જે સાચી કરવાની

દુનીયાઆખી વિશાળ લાગે,પ્રભુકૂપા જ્યાં લેવાની
આતમદીપની જ્યોતજાગે, જીવને મુક્તિમળવાની

અંતરે આનંદ ને હૈયેહેત,જ્યાં પ્રેમ પ્રભુથી થવાનો
મીથ્યા જગની માયા એવી,જે સાથે તારે સથવારો

આવ્યા પામી દેહ અવનીપર,સાર્થક જીવે કરવાનો
એક પ્રેમની ભક્તિ મળતાં, જગજીવન તુ તરવાનો

દેખ આંખમાં પ્રેમ અનેરો, જલાબાપા મનમાં રાજી
મળે વિરબાઇ માતાની આશીશ,નારહે કોઇ વ્યાધી

++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment