કળીયુગમાં રસ્તો
અત્યારના યુગમાં થયેલા અનુભવને કાવ્ય સ્વરુપ આપેલ છે.
સત્યતાની સાંકળ જોતા આ પ્રેરણા થઇ છે.
કળીયુગમાં રસ્તો
તાઃ૧૧/૧૦/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગામમાં કોઇ પુછે નહીં,ને શહેરમાં ના કોઇ જાણે
દેશની વાતતો નામનાય,ને જગતે સ્વપ્નુ લાગે
……..ગામમાં કોઇ પુછે નહીં.
ભણતરમાં નામગજ દોડ્યુ,ને ના સમજ કોઇ આવી
પાટી પેન પકડી હાથમાં,પણ અંતે મતી ના માની
કર્યો પ્રયત્ન માબાપે ખુબ,પણ ના બુધ્ધી કંઇ ચાલી
ગામમાં કોઇ ના રહેતા આરો, હું મુંઝવણમાં મુઝાયો
……ગામમાં કોઇ પુછે નહીં.
સોપાન મળ્યા ભણતરના,પણ ના મેળ પડે નોકરીનો
નાખી અરજી ઘણીજગાએ,તોય નામળી કોઇ નિશાની
મહેનત મનથીય કરી ઘણી,ને આંખમાં આવ્યા પાણી
મુંઝવણ જીવનને વળગીગઇ, ઉંમર પણવધતી ચાલી
………ગામમાં કોઇ પુછે નહીં.
ધાર્મીક સ્થાનની મુલાકાતે,એક મનમાં સમઝણ આવી
સફેદકપડાં પહેરી લેતાં,સમજી લીધો એક સરળ રસ્તો
ના ભણતર કે નોકરીનીચિંતા,દમડી સૌ આવીદઇજાય
ભગવુ મળતા સેવક મળે,ને લહેર જીવનમાં થઇ જાય
………ગામમાં કોઇ પુછે નહીં.
===================================.