જીત
જીત
તાઃ૩૦/૩/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નિર્ધન એ ધનવાન બને,ને શ્રધ્ધાએ જીત થાય
મળીજાય જીવનમાં શાન,જ્યાં મનથી કામથાય
…………નિર્ધન એ ધનવાન બને.
મનથી કરેલ મહેનત સાચી,સ્નેહ પ્રસરાવી જાય
ઉજ્વળતા આવે આંગણે,જ્યાં ખેલદીલી સહવાય
મહેનતને ના સંગ મોહનો,કે જે દેહને જકડી જાય
મળીજાય સફળતા જગમાં,જ્યાં શ્રધ્ધાએ ખેલાય
………….નિર્ધન એ ધનવાન બને.
ભાવના મનથી રાખીને,સોપાન જગતમાં ચઢાય
મળે સાચીરીત જીવનની,જે પ્રભુકૃપાએ મેળવાય
દીલનો દરીયો ઉભરે ત્યારે,જ્યાં સફળતા દેખાય
આવે પ્રેમનીનદી ગૃહદ્વારે,જીવ જગતમાં હરખાય
………….નિર્ધન એ ધનવાન બને.
==============================