November 15th 2011

કળીયુગી વરદાન

.                      કળીયુગી વરદાન

તાઃ૧૦/૧૧/૨૦૧૧    (આણંદ)        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગેથી ના મળતો પ્રેમ,કે નામાગેથી મળતાં ધનદાન
મળતી માયા સંગે રહેવા,એતો છે કળીયુગના વરદાન
.                         ……………..માગેથી ના મળતો પ્રેમ.
સુંદર કાયાને માયા વળગતાં,જીંદગી આ વેડફાઇ જાય
પ્રેમપ્રેમની રાહ જોતાં જીવનમાં,દેહનો અંત આવી જાય
કળીયુગની આ અજબલીલા.જે સાચી ભક્તિએ સમજાય
વંદન કરતાં જલાસાંઇને,મળેલ આજન્મ સફળ થઈજાય
.                        ……………….માગેથી ના મળતો પ્રેમ.
મોહમાયાનાછે  બંધન સૌને,જગમાં ના કોઇથીય છોડાય
સરળજીવનની એકજ કેડી,જે જીવને ભક્તિમાર્ગ દઈજાય
લાગણી પ્રેમ એ જીવનીજ્યોત,જે આનંદમંગળ કરી જાય
મળે જીવનેકેડી આશીર્વાદની,જે વડીલના વંદને મેળવાય
.                         ………………માગેથી ના મળતો પ્રેમ.

=========================================