મળેલ મોહ
. . મળેલ મોહ
તાઃ૩/૮/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મોહની માયા મનુષ્યને છે,ના ક્યારે કોઇથીય છટકાય
અવનીપરનુ આગમનદેહનુ,એજ તેનો સંકેત કહેવાય
. ……………….મોહની માયા મનુષ્યને છે.
આંટીઘુટી છે અવિનાશીની,એ તો દેહ મળતા જ દેખાય
મળે દેહ માનવીનો જગે,શ્રધ્દ્ધાએ મુક્તિમાર્ગ મળી જાય
અતુટબંધન અવનીના,જલાસાંઇની ભક્તિએ છુટી જાય
મળીજાય જ્યાં સાચી માનવતા,દેહની મહેંકપ્રસરીજાય
. ………………….મોહની માયા મનુષ્યને છે.
ઉજ્વળ જીવનની કેડીને લેવા,જીવ અહીં તહીં ભટકાય
માર્ગ મળે જ્યાં માનવતાનો,ઉધ્ધાર જીવનો થઈ જાય
કળીયુગમાં મળેલ મોહ જીવને,અવનીએ ભટકાવી જાય
સરળતાની એક જ રાહે,જીવ જન્મ બંધનથી છુટી જાય
. …………………..મોહની માયા મનુષ્યને છે.
+++++++++++++++++++++++++++++++++++++