અંજની સુત
. અંજની સુત
તાઃ૧૧/૧૦/૨૦૧૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંજનીપુત્ર છે પરમ પવિત્ર,એ બજરંગબલીથીય ઓળખાય
સર્જનહારની આ અજબછે લીલા,સીતારામની સંગેએ જોડાય
. ………….એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.
અજબશક્તિ ભક્તિથી મળતા,રાજા રાવણ અભિમાને હરખાય
લંકામાં મેળવીકૃપા શિવજીની,અજબશક્તિશાળી એબનીજાય
મોહમાયાવળગે જ્યાં જીવને,ત્યાં માનવીનીમતિ પણ બદલાય
સીતામાતાનુ હરણ થતાં,શ્રી રામને હનુમાનનો સંગમળી જાય
. ………….એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.
અહં અભિમાનને ના આંબે કોઇ,એ માનવીના વર્તનથી દેખાય
પરમાત્માની એ કરામત,રાવણ સીતાજીને મહેલે ઉપાડી જાય
પ્રભુરામની તાકાત બન્યા બજરંગ બલી,લંકામાં પહોંચી જાય
રાવણની તાકાતને આંબીને,અંતે લંકામાં એનું દહન કરી જાય
. …………..એવા પવનપુત્ર હનુમાન,અજબ ભક્તિ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++