February 10th 2015

સાચો વિશ્વાસ

 

                     .સાચો વિશ્વાસ

તાઃ૧૦/૨/૨૦૧૫                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,ને જીવને પાવનરાહ મળી જાય
ઉજ્વળજીવનએ વિશ્વાસ જીવનો,સાચીશ્રધ્ધાએ મળીજાય
………એજ જીવની નિર્મળતા,જીવને સાચીશ્રધ્ધાએ મળી જાય.
ભક્તિજ્યોતની નિર્મળરાહ મળે,પવિત્રકર્મ જીવનમાં થાય
મમતામાયાને મોહ છોડતા,જીવનમાં શાંન્તિય મળી જાય
જલાસાંઇની નિર્મળ ભક્તિએ,શ્રીભોલેનાથનીકૃપા થઈજાય
એજ સાચી ભક્તિ છે,અને એને જ સાચો વિશ્વાસ કહેવાય
………..જે જીવને નિર્મળ રાહ દઈ,પાવનકર્મ પણ કરાવી જાય.
જન્મથી મળતીકાયા અવનીએ,માબાપનોએ પ્રેમ કહેવાય
મળેલ પ્રેમ અને સંસ્કાર જીવને,સાચીરાહ પણ આપી જાય
અનંતકોટી બ્રહ્માન્ડની કૃપાએ,જન્મમરણની સાંકળછુટીજાય
મળેલ જન્મને સાર્થક કરતા,આવતી આફત દુર ભાગીજાય
……….એજ ભક્તિની પવિત્રકેડી,અંતે માનવતા મહેંકાવી જાય.
=====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment