સંસારી સ્નેહ
. . સંસારી સ્નેહ
તાઃ૧૩/૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલ એ બંધનછે દેહના,જગતના જીવનથી મેળવાય
પ્રેમની પાવનકેડી મળે જીવને,સંસારી સ્નેહથી મળી જાય
…………..એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
મળેલ માનવદેહ અવનીએ,કરેલ કર્મના બંધનથી સંધાય
આગમન વિદાય એ દેહના બંધન,જે જન્મમૃત્યુથી દેખાય
ભક્તિપ્રેમની શીતળકેડી પકડતા,જીવથીસત્કર્મ થઈ જાય
શ્રધ્ધા ભાવના એ રાહ સાચી,જીવને મુક્તિમાર્ગેદોરી જાય
……………એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
માતાપિતાના નિર્મળપ્રેમથી,સંતાનને જીવનરાહ મળીજાય
સંસ્કારસાચવી જીવનજીવતા,જીવનુ આગમન ઉજ્વળથાય
મોહમાયાની રાહ છુટતા,પવિત્રકર્મનીરાહ જીવથી મેળવાય
સંસારી સંબંધ સાચવી રહેતા,દેહને સંસારી સ્નેહ મળી જાય
……………..એજ જીવની છે ઉજ્વળતા ને એજ પરમાત્માનો પ્રેમ.
======================================