જીવનની સરગમ
. .જીવનની સરગમ
તાઃ૭/૭/૧૯૭૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની સરગમ એવી(૨),જાણે ફરતા આ પૈડા
ક્યાં અંત છે એનો કેવો(૨),ક્યારે આવે તેના તેડા
. ………જીવનની સરગમ એવી.
મઝધાર મહી સથવાર નહી,ત્યાં સાથ છે તારો મીઠો(૨)
આ અગનમનિગમના જીવનમાં,સંગાથ મનેછે તારો(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
. ………જીવનની સરગમ એવી.
સંસાર મહી સહવાસ નહીં,ત્યાં મોહમાયા ના અડકે (૨)
નાપ્રેમ મળે નાહાથ સહે,ના જ્યોત જીવનની પ્રગટે(૨)
ઓ તરસ્યા પંખી તારી એ મંજીલનો છેલ્લો મુકામ જો
. ………જીવનની સરગમ એવી.
======================================