ભક્તિ છે નિર્મળ
. .ભક્તિ છે નિર્મળ
તાઃ૬/૮/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિભાવની નિમળ કેડી,જીવને પાવન કરાવી જાય
મળે પ્રેમ પરમાત્માનો જીવને,જે અનુભવથી સમજાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.
અપેક્ષાના ના વાદળ સ્પર્શે,કે ના મોહ કેમાયા અડી જાય
પરમકૃપાળુ પરમાત્મા જગે,માનઅપમાન ભગાડી જાય
ભક્તિની છે અજબ શક્તિ,જગતમાં ના કોઇથીય અંબાય
જીવને મળેલ રાહ સાચી,જીવને મુક્તિ માર્ગેજ દોરી જાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.
મનથી કરેલ ભક્તિ જીવનમાં,અનંત શાંન્તિ આપી જાય
તનથી કરેલ સેવા જગતમાં,સાચી ભક્તિ રાહ દઈ જાય
સંત જલાસાંઇની દીધેલ રાહે,પરમાત્મા પણ આવી જાય
લાકડી ઝોળી આપી મા વિરબાઈને,પરમાત્મા ભાગીજાય
………..એજ સાચી ભક્તિ જીવની,જે નિર્મળ પ્રેમ આપી જાય.
=====================================