ભક્તિ પ્રીત
. . ભક્તિ પ્રીત
તાઃ૨૩/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે પ્રેમ માબાપનો સંતાનને,જીવનમાં રાહ સાચી મળી જાય
શ્રધ્ધાની સાચીકેડી પકડી ચાલતા,પવિત્ર ભક્તિપ્રીત થઈજાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.
મળે માનવદેહ અવનીએ જીવને,એ જીવની નિર્મળતા કહેવાય
કુદરતની એ અસીમ કૃપા કહેવાય,જે જીવને જન્મ મળે દેખાય
અવનીપરનુ આગમન એ છે બંધન,જીવને દેહ મળતા સમજાય
પરમ કૃપા પરમાત્માની થાય,જ્યાં જીવનમાં સાચી ભક્તિ થાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.
કર્મનાબંધન એ દેહનાસંબંધ છે,જે મળેલદેહના બંધનથી દેખાય
જન્મબંધનને સાચવી જીવતા,મળેલદેહ પર વડીલની કૃપાથાય
પવિત્રકર્મની કેડી મળતા જીવને,સાચી ભક્તિની રાહ મળી જાય
ઉજ્વળ જીવનની રાહે જીવતા, પાવનકર્મે મુક્તિરાહને મેળવાય
……એ જ માનવતા દેહની અવનીએ,જે સત્કર્મથી જીવન સાચવી જાય.
==========================================