જન્મ દીવસ
. . જન્મ દીવસ
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપિતાની આ અદભુત લીલા,આગમને અનુભવાય
સંતાન થઈને આવતા જીવને,માબાપનોપ્રેમ મળી જાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
જીવ જગતમાં ઘુમી રહે આકાશમાં,ના કોઇ દેહથી જોવાય
અદભુતલીલા પરમાત્માની જગે,જે જન્મ મળતા સહેવાય
દેહે કરેલ કર્મ અવનીએ,જે સમયની સંગે જ ચાલતા જાય
માનવતાની મહેંક પ્રસરે,ત્યાં દેહનો જન્મદીવસ ઉજવાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
પુણ્યકર્મ જે થાય દેહથી,તે જીવનમાં ભક્તિ રાહ દઈ જાય
શ્રધ્ધા રાખી જલાસાંઇને ભજતા,જીવપર કૃપા પ્રભુની થાય
માગણીમોહને દુર રાખીને જીવતા,જીવન ઉજ્વળ થઈજાય
અવનીપરના આગમનને સમજતા,દેહ મુક્તિમાર્ગે દોરાય
…………દેહ મળતા જીવને અવનીએ,કર્મનો આધાર મળી જાય.
+++++++++++++++++++++++++++++++++++++