શીતળ
. .શીતળ
તાઃ૩૦/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ જીવન ને શીતળરાહ,જીવને આપે ઉજ્વળ રાહ
માનવદેહ મળે જગતે જીવને,ના કળીયુગ સ્પર્શી જાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
નિર્મળ ભાવે જીવન જીવતા,જીવ ઘણુ સહન કરી જાય
એકજ નિખાલસ ભાવનાએ,પરમાત્માની કૃપાથઈજાય
મળે માનવતાનો સાથ જીવને,જ્યાં રાહ સાચી પકડાય
પ્રેમમળે અંતરને સાચો,જેને ના કલીયુગ પણ અડીજાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
ભક્તિભાવને મનથી પકડતા,પ્રેમનીરાહ પણ મળીજાય
મનથી કરેલ ભક્તિસાચી,ને તનથી સાચી મહેનત થાય
ના કોઇ અપેક્ષાય રહે,કે ના બીજા જન્મને જીવ અથડાય
મુક્તિમાર્ગની રાહ મળે જીવને,જ્યાં જલાસાંઈ રાજીથાય
…………એ જીવનની શીતળ જ્યોત,જે પ્રભુકૃપાએ મળી જાય.
************************************************