June 27th 2016

સાંઇ જ્યોત

.                  .સાંઇ જ્યોત

તાઃ૨૭/૬/૨૦૧૬                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મનો સંબંધ જીવને સ્પર્શે,આવનજાવનથી સમજાય
નિર્મળ પ્રેમનીરાહે જીવવા,સંત સાંઇબાબાની પુંજા થાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
અનેક જીવોને સંબંધ અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
માનવદેહ એ કર્મનીકેડી,જે અનેક જન્મો બાદ મેળવાય
કરેલકર્મ જીવનમાં નિર્મળ,પવિત્રભક્તિમાર્ગે લઈ જાય
કુદરતની અસીમલીલા,અવનીપર જન્મ મળે સહેવાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.
માનવ દેહ લીધો ભોલેનાથે શેરડીમાં,સાંઇથી ઓળખાય
આવી અવનીપર પરમાત્મા,માનવજીવન સમજાઇ જાય
પવિત્રરાહ મળે માનવીને,જ્યાં હિન્દુમુસ્લીમને પ્રેમ થાય
મનુષ્ય જીવન એ રાહ પવિત્ર,જે  માનવતા સમજાઈજાય
………..માનવદેહ એ કૃપા પ્રભુની,જે મુક્તિ માર્ગ બતાવી જાય.

======================================