October 24th 2017

જાગૃત જીવન

……………….જાગૃત જીવન

તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને મળેલ દેહ અવનીપર,કરેલ કર્મના બંધનથી જ મળી જાય
સમય એ કુદરતની કેડી,જે અવનીપર મળેલ દેહથી સમજાઈ જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
અપેક્ષાના વાદળ તો અવનીપર,સદાય મળે દેહના સંગે ચાલી જાય
વર્તનવાણી ને વિચારી જીવતા,મળેલ જીવનને એ જાગૃત કરી જાય
પળેપળને નાપકડાય કોઇથી જગતમાં,પણ કુદરતની કૃપાએ બચાય
કરેલકર્મ એ જીવનાછે બંધન,જે જગતપર દેહનાસંબંધને સ્પર્શી જાય
……….પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પવિત્ર ભક્તિ થાય
કુદરતનીકૃપાએ પકડેલ કેડીએ,સંસારમાં દેહને સુખશાંન્તિ મળીજાય
મળેલ માનવદેહને સદમાર્ગે લઈજાય,જ્યાં જલાસાંઇને શ્રધ્ધાએ વંદાય
દીધેલ માર્ગ જલાસાંઇનો અવનીએ,માનવ જીવનને સાર્થક કરી જાય
……..પવિત્ર કર્મનો સંબંધ દેહથી,જે અવનીપર દેહના વર્તનથી જ દેખાય.

=================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment