મુકેલ મોહ
. ……………….મુકેલ મોહ
તાઃ૨૪/૧૦/૨૦૧૭ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરના જીવને એ જકડે,જે મળેલ દેહના વર્તનથી મળી જાય
કરેલ કર્મ એ દેહ આપે જીવને,એ અવનીપર જન્મ મળતા દેખાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
નિર્મળ ભાવના એ જીવન જીવતા,દેહથી મોહમાયા દુર ચાલી જાય
મળેલદેહથી કુદરતને વંદન કરતાં,જીવને પાવનરાહ પણ મળી જાય
ભક્તિપ્રેમ એજ કૃપાછે પરમાત્માની,જે નિખાલસ જીવનથી સમજાય
કર્મના સંબંધ તો જીવને સ્પર્શે,જે મળેલ દેહથી જીવને દેખાઈ જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
મારૂતારુ એ દેહના સંબંધ અવનીએ,જે થકી કર્મની કેડી મળી જાય
મોહમાયા તોછે કુદરતની લીલા,વાણી વર્તનથી દેહને એ જકડી જાય
કૃપામળે જ્યાં જલાસાંઇની જીવને,ત્યાં દેહથી અનેક સત્કર્મ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,અંતે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
……એજ અદભુતલીલા પરમાત્માની,જે જીવને મોહથી કર્મ આપી જાય.
======================================================