વિરપુરવાસી
…….
. ………………વિરપુરવાસી
તાઃ૨૭/૧/૨૦૧૭ (કારતક સુદ ૭) પ્ર્દીપ બ્રહ્મભટ્ટ
વિરપુરવાસી નિર્મળ ભક્તિના સંગાથી,જગતમાં જલારામની નામના થાય
એવા રાજબાઈમાતાના સંતાન,પિતા પ્રધાનના એલાડલા સંતાન કહેવાય
….રામનામની માળાનો સંગ,એવા સંત જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
અવનીપરના આગમનને ઉજ્વળ કરતાં,જગતમાં વિરપુરના સંત થઈજાય
અનેક જીવોને ભોજન આપતા પ્રેમથી,પરમાત્માનો અનંતપ્રેમ મળી જાય
પત્ની વિરબાઈની પવિત્રકેડી,મળેલ માબાપના સંસ્કારથી જીવન જીવાય
પરમાત્માની પરિક્ષાને સન્માનતા,ઝંડોઝોળી આપી પરમાત્મા ભાગી જાય
….એવા વિરબાઈ માતાના પતિદેવ શ્રી જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
મનથી કરેલકર્મ જીવનમાં સાચીભક્તિએ,અન્નદાનની આંગળી ચીંધી જાય
અનેક જીવોને ભોજન આપતા જીવનમાં,પરમાત્માનો અનંતપ્રેમ મેળવા ય
નાકદી કોઇઅપેક્ષા જીવનમાં રાખી,કે નાકોઇજ મોહ જીવનમાં અડી જાય
એવા વ્હાલા નિખાલસ જીવન જીવેલ સંત જલારામનો આજે જન્મ દીવસ ઉજવાય.
===============================================================
…. પરમપુજ્ય સંત શ્રી જલારામનો આજે જન્મદીસ છે તે નિમીત્તે તેમના પરિવારને
પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ ભેંટ.