November 17th 2017

જીવનમાં સંગાથ

.                .જીવનમાં સંગાથ

તાઃ૧૭/૧૧/૨૦૧૭                             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની એ અજબ શક્તિ છે,જે અવનીપર જીવોને સ્પર્શથી સમજાય
મળેલ દેહને સમયનો સ્પર્શ થાય,જ્યાં જન્મની સંગેજ ઉંમર અડી જાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
કર્મના બંધન એજ છે જીવના સંબંધ,જે અવનીપર દેહ મળતા દેખાય
પશુ,પક્ષી ને માનવદેહ એ બંધન જગતપર,જે દેહથી કર્મ કરાવી જાય
જન્મ મરણ એ જીવને મળે અવનીપર,અદભુત લીલા કુદરતની કહેવાય
મહેંક પ્રસરે માનવતાની જીવનમાં,જ્યાં નિર્મળ ભાવે પ્રભુની ભક્તિ થાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
લાગણી મોહને દુર રાખીને જીવન જીવતા,પરમાત્માના પ્રેમની કૃપા થાય
અદભુત લીલા નો સંગાથ મળે દેહને,ત્યાં મળેલ દેહની માનવતા મહેંકાય
સદબુધ્ધીનો સંગાથ મળે જીવનમાં,પવિત્રરાહની કેડીએ જીવનપાવન થાય
અપેક્ષાના નાકોઇ વાદળ સ્પર્શે દેહને,ત્યાં સંત જલાસાંઇની કૃપા થઈ જાય
......એજ દેહનો સંબંધ છે અવનીએ,જે બાળપણ ને ઘૈડપણ આપી જાય.
=========================================================


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment