January 16th 2018

અનુભવી પ્રેમ

.         .અનુભવી પ્રેમ
તાઃ૧૬/૧/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવનની પ્રગટે જ્યોત જગતમાં,નિર્મળપ્રેમના આશિર્વાદથી મેળવાય
મળેલ કૃપા પરમાત્માની ભક્તિએ,જ્યાં શ્રધ્ધા ભક્તિએ પુંજન કરાય
......એજ જીવને બંધનથી સ્પર્શે,જે મળેલ પ્રેમનો અનુભવ જ કહેવાય.
જન્મનો સંબંધ છે જીવને કરેલ કર્મનો,અવનીપરના આગમને દેખાય
માનવદેહ એજ છે કૃપા પરમાત્માની,જીવનમાં સમયને સમજી ચલાય
અગણીત અપેક્ષાઓતો ફરે અવનીએ,જગતપર ના કોઇથીય છટકાય
લાગણીમોહને દુર રાખીને જીવતા,વડીલના આશિર્વાદે પ્રેમ મળી જાય
......એજ જીવને બંધનથી સ્પર્શે,જે મળેલ પ્રેમનો અનુભવ જ કહેવાય.
કળીયુગ કુદરત એલીલા પરમાત્માની,અવનીપર સુખદુઃખ આપી જાય
મળેલદેહને એ સ્પર્શે જીવનમાં,જે સમજણ ને સહવાસથી જ સમજાય
કુદરતની આ અદભુતલીલા દુનીયાપર,સરળ જીવનની રાહ આપીજાય
પ્રગટે માનવદેહની રાહ જગે,જે સંત જલાસાંઇની પવિત્રરાહે મળીજાય
......એજ જીવને બંધનથી સ્પર્શે,જે મળેલ પ્રેમનો અનુભવ જ કહેવાય.
=======================================================