June 7th 2018

જન્મનુ બંધન

.           .જન્મનુ બંધન   

તાઃ૭/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના અનેકદેહ એબંધન જીવના,કર્મની કેડીએ મેળવાય
માનવદેહ એજ કૃપા પરમાત્માની,જે જીવને સત્માર્ગે દોરી જાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
અનેકજીવોનુ આગમન ધરતીપર,જે પશુપક્ષીને માનવથી દેખાય
કુદરતકેરી પવિત્રકેડી દુનીયા પર,જીવને અનેક રાહ આપી જાય
સરળ જીવનની રાહ મળે જીવને,જે દેહને પવિત્રરાહે દોરી જાય
પવિત્રકર્મ એ મળે કૃપાએ,જે જીવથી નિર્મળ શ્રધ્ધાએજ મેળવાય
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
માયામોહનો સંબંધ એ કળીયુગની લીલા,એ સમયે પરખાઈ જાય
પાવનકર્મ એકૃપા પ્રત્યક્ષ શ્રીસુર્યદેવની,સંગે રાંદલમાતા આવી જાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,જે પવિત્રકર્મની કેડીઆપી જાય
જીવને સંબંધ અવનીપર આવનજાવનનો,એઅનેકદેહથી સ્પર્શીજાય 
.....કરેલકર્મ એજ છે જીવનુ બંધન,જે જન્મમરણના બંધનથી અનુભવાય.
=========================================================