June 20th 2018

જીંદગીની જ્યોત

.          .જીંદગીની જ્યોત          

તાઃ૨૦/૬/૨૦૧૮              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કળીયુગને કુદરતની સાંકળથી,જીવને જન્મમરણથી અનુભવ થાય
અવનીપરના બંધન એજ કર્મનીકેડી,જીવને આવનજાવનથી દેખાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
જન્મ મળેલ જીવને અવનીપર,એજ દેહને કર્મનાબંધન આપી જાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જ્યાં જીવથી શ્રધ્ધાએજ ભક્તિ કરાય
નિર્મળભાવથી કરેલ ભક્તિ,એ સવારસાંજના સંગાથથી અનુભવાય
મળેલ માનવદેહની નિર્મળતા પ્રસરતા,પવિત્રજીવોની કૃપા મેળવાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
જીવનમાં સ્પર્શતી અપેક્ષાની કેડી,એ નિર્મળભક્તિએ દુર રહી જાય
પ્રેમ પ્રભુનો મળે દેહને જીવનમાં,ના અભિલાષા કોઇજ દેહની થાય
સરળતાનો સંગાથ મળે દેહને,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
અવનીપરના આગમન વિદાયનો સંબંધ છુટતા,મુક્તિમાર્ગ મળી જાય
.....મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમકૃપાળુ પરમાત્માની કૃપા કહેવાય.
============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment