June 27th 2018

પરખ જીવની

.            .પરખ જીવની  

તાઃ૨૭/૬/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માગણી મનની આંગળી ચીંધે,જીવનના સંબંધને એ સ્પર્શી જાય
કુદરતની આ પાવન ક્રીયા કર્મની,નિર્મળકેડી જીવને આપી જાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય.
સરળજીવન એ સુખશાંંન્તિથી સ્પર્શે,નાકોઇ ખોટીરાહ અડી જાય 
શ્રધ્ધાએ કરેલ ભક્તિ જીવનમાં,કર્મ અને વર્તનથી શાંન્તિ દઈજાય
મળેલ દેહને જીવ સાચવી લે,જે થઈ રહેલ પવિત્રકર્મથી જ દેખાય
પાવનકર્મ એ કૃપા સુર્યદેવની જીવપર,સવારસાંજના વર્તને સમજાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય
અનેકદેહ અવનીપર મળે જીવને,જે જગતમાં પાવનકર્મ કરાવી જાય
પરમાત્માનીકૃપા પવિત્ર ભારત દેશપર,જ્યાં પ્રભુ અનેકદેહ લઈ જાય
શ્રધ્ધા રાખી જીવનમાં એરાહ પકડો,જે જીવને મુક્તિમાર્ગે દોરી જાય
દેહ લીધોછે અવનીપર પ્રભુએ,જે અનેક પવિત્ર નામે મંદીરમાં પુંજાય
......માનવદેહની પાવનકેડી જીવનમાં,નિર્મળ ભક્તિએ જ મળી જાય.
======================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment