શ્રાવણ માસ
…..…..
. .શ્રાવણ માસ
તાઃ૧૨/૮/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રાવણ માસ એ પવિત્ર મહીનો,માનવજીવનને એ સ્પર્શી જાય શ્રધ્ધાપ્રેમથી ભક્તિ માર્ગે ચાલતા,મળેલદેહનુ જીવન પાવનથાય .....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય. નિર્મળ ભાવથી પુંજન કરતા,શ્રાવણ માસે પાવન ઘર થઈ જાય ના અપેક્ષાના વાદળ સ્પર્શે,કે ના કોઇ મોહમાયાય સ્પર્શી જાય પવિત્રમાસની અજબ શક્તિ છે અવનીપર,પ્રભુકૃપાએજ મેળવાય વંદન કરી શ્રધ્ધાએ પગે લાગતા,મળેલ દેહની જ્યોત પ્રગટી જાય .....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય. માનવદેહની એ પવિત્રકેડી,જે શ્રધ્ધાએ પુંજન અર્ચના કરાવી જાય જીવને મળેલદેહ અવનીપર,કરેલકર્મના સંબંધ અનુભવ આપી જાય પ્રેમ ભાવનાએ કરેલ ભક્તિ,મળેલદેહને નિર્મળ જીવનથી પ્રેરી જાય સુખશાંન્તિનો સંગ મળે,જ્યાં પરમાત્માની કૃપાની વર્ષાજ થઈ જાય .....એજ કૃપા પિતા ભોલેનાથની જગતપર,અજબશક્તિ ધારણ કરી જાય. ==========================================================