September 1st 2018

કુદરતનો ઝંપ

.            .કુદરતનો ઝંપ   

તાઃ૧/૯/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર અનેક અસર છે કુદરતની,જગતપર જીવોના દેહને એસ્પર્શી જાય
અનેક સંબંધો કુદરતના અવનીપર,જે સમયસંગે પ્રત્યક્ષ અનુભવ આપી જાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય.
સુર્યદેવનુ આગમન દીવસમાં અવનીપર,મળેલ દેહને સવાર સાંજ આપી જાય
સવારથતા દેહોને દીવસમાં પ્રભાત મળીજાય,પવિત્રભાવે સુર્યદેવને નમન થાય
પવનદેવનુ નિર્મળ આગમનથતા જગતપર,નિર્મળદીવસ સંગે શાંંન્તિ આપીજાય
સમયે પવનદેવની ઝાપટ પડતા,અનેક અનુભવો મળેલ દેહને દુઃખી કરી જાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય.
મેઘરાજાનુ આગમન જમીનપર,શાંંન્તિના સહવાસે અનેક વૃક્ષોનુ આગમન થાય
સરળઆગમનને બદલે અધીકવર્ષાએ,અઢળક પાણી અનેક તકલીફો આપીજાય
વાહનને ચલાવવામાં તકલીફ પડે,ને માનવીને છત્રીના સંગેપણ દુખ મળી જાય
કળીયુગનો સ્પર્શ રાજકારણને થાય,ત્યાં ઉંમરને દુર રાખતા ઘરડા પણ ભટકાય
.....એજ લીલા છે કુદરતની જગતપર,કદીક એ કુદરતની ઝાપટ પણ બની જાય
==============================================================
 
September 1st 2018

ભજનપ્રેમ

.             .ભજનપ્રેમ    

તાઃ૧/૯/૨૦૧૮                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રેમથી ભોલેનાથનુ ભજન કરતા,શંકર ભગવાનની પરમકૃપા થઈ જાય
પાવનરાહે જીવન જીવતા જીવપર,માતા પાર્વતીનો પ્રેમપણ મળી જાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
શ્રધ્ધાભાવનાએ ભક્તિ કરતા જીવનમાં,અનંતકૃપાનો અનુભવ થઈ જાય
ભક્તિમાર્ગને પકડી ચાલતા જીવને,અવનીપર ભજનપ્રેમનો સંગ મેળવાય
પવિત્રકૃપા મળી માતા પાર્વતીની,જે ગણેશજીને અજબશક્તિ આપીજાય
રિધ્ધી સિધ્ધીના એ પ્રણેતા જગતમાં,જે જીવોના ભાગ્યવિધાતાય કહેવાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
કર્તાહર્તા જગતના ભારતમાં,માગંગા,જમના,સરસ્વતી,યમુના વહાવી જાય
મુક્તિમાર્ગ મળે જીવને અર્ચના કરવાથી,જેદેહને સદમાર્ગ પણ આપી જાય
સરળતાનો સહવાસ મળતા સંસારમાં,પિતામાતાપુત્રપુત્રીનો પ્રેમ મળી જાય
મળેલદેહથી શ્રધ્ધાપ્રેમે ભજન કરતા,મળેલકૃપા ધરને પણ પાવન કરી જાય
.....અજબકૃપા શ્રી ભોલેનાથની,સંગે પુત્ર શ્રી ગણેશજીનો સંગ પણ મળી જાય.
===========================================================