September 10th 2018

ભોલેનાથ ભજો

Image result for ભોલેનાથ ભજો
.            .ભોલેનાથ ભજો    

તાઃ૧૦/૯/૨૦૧૮                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાવનપ્રેમથી ભક્તિ કરતા,જીવને મળેલ દેહપર પરમકૃપા થઈ જાય
શ્રધ્ધા ભાવનાની પવિત્રરાહે,દેહ મોહમાયાના બંધનથી દુર રહી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય. 
પવિત્રદેહ લઈ અવનીપર આવ્યા,સંગે પવિત્ર ગંગાને વહેવડાવી જાય
પુંજનઅર્ચન શ્રધ્ધા સંગે કરતા,મળેલ દેહને જીવનમાં સુખ મળી જાય
પાર્વતીજીના પતિ થયા અવનીપર,સંગે ગજાનંદ ગણેશના પિતા થાય
અદભુત પવિત્ર શક્તિ લઈને જગતપર,જીવોને પાવનરાહ આપી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય. 
કુદરતનીકેડી એ અદભુતકૃપા પ્રભુની,જે અવનીપર અનેક દેહથી દેખાય
નિર્મળભાવનાને સંગે રાખી ભક્તિ કરતા,તમારા ઘરને પવિત્ર કરી જાય
શાંંન્તિનો સંગાથ મળે દેહને જીવનમાં,પાવન કર્મની પ્રેરણા આપી જાય
મુક્તિમાર્ગની આંગળી ચીધે જીવને,મળેલદેહને અંતે પાવનકૃપામળી જાય
......મળે કૃપા પ્રભુની ભક્તોને,જ્યાં પવિત્રભાવથી ભોલેનાથના ભજન થાય.
======================================================