October 23rd 2018
. .નિખાલસ જીવન
તાઃ૨૩/૧૦/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ક્યાંથી આવ્યા તમે ને ક્યાં તમે જવાના,જગતમાં ના કોઇનેય સમજાય
આ અદભુતલીલા અવીનાશીની અવનીપર,કુદરતની પરમ કૃપા કહેવાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
જીવને મળેલદેહ અવનીપર અનેકરીતે ઓળખાય જે અદભુત લીલા કહેવાય
પશુપક્ષીપ્રાણીને માનવદેહ સમયે મળે,જે થયેલ કર્મથી જીવને મળતા જાય
જીવનેસ્પર્શે કરેલકર્મ અવનીપર,જેને કર્મબંધનથી સમયસમયે દેહ મળી જાય
સત્કર્મ એ પાવનરાહ દેહની જીવનમાં,એજ પવિત્રકર્મનો સંગાથ આપી જાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
આંગણે આવી પ્રેમમળે કુદરતનો,જે નિર્મળજીવન જીવવાની રાહ આપી જાય
નિર્મળ ભાવનાથી જીવન જીવતા,ના કોઇ મોહ કે માયાનો સ્પર્શ જીવને થાય
અનંત શાંન્તિની રાહ મળે દેહને,જે નિખાલસ જીવનસંગે પવિત્રરાહે લઈ જાય
કર્મનીપવિત્રકેડી એજ જીવની જ્યોતછે,જે જન્મમરણના બંધનથી દુર રાખીજાય
......પાવનરાહ અવનીપર જીવવા,જીવને શ્રધ્ધાભાવનાએ પરમાત્માની પુંજા કરાય.
================================================================
October 23rd 2018
. .સમયની સમજણ
તાઃ૨૩/૧૦/૨૦૧૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયને ના પકડાય કોઇથી જગતમાં,કે ના કોઇથીય કદીદુર રહેવાય
અજબશક્તિશાળી છે અવનીપર,પારખીને ચાલતા શાંંન્તિઆપી જાય
....એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
દેહ મળે જીવને અવનીપર,જે થયેલ અનેક કર્મના બંધનથી મેળવાય
જગતપર દેહને સમયજઅડે,જે બાળપણ જુવાની ઘડપણ આપી જાય
કુદરતની અજબલીલા જ કહેવાય,જગતપર નાકોઇથી કદી દુર રહેવાય
સરળ જીવનનો સંગાથમળે દેહને,જ્યાં નિર્મળ ભાવનાએ જીવનજીવાય
....એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
જીવનમાં મળેલ દેહ જો સમયને સમજીને ચાલે,તો શાંંન્તિ મળી જાય
પરમાત્મા તકલીફ આફતને દુર રાખે,જે જીવને શ્રધ્ધાભક્તિ આપીજાય
મળેલ માનવ દેહની માનવતા પ્રસરે,જ્યાં કુદરતની કૃપાની વર્ષા થાય
જીવનમાં કર્મનીકેડીની સમજ મળે જીવને,જે સમયસમયે પરખાઈ જાય
...એજ અદભુતલીલા અવીનાશીની,અનેકરાહે જીવોના દેહને સમજ આપી જાય.
=============================================================