November 2nd 2018

જીવનો દેહ

.             .જીવનો દેહ        

તાઃ૨/૧૧/૨૦૧૮                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપરના આગમનનો સંબંધ,જીવને અનેકદેહ મળતા અનુભવાય
કર્મનીકેડી એ સંબંધ છે દેહના,જે ગતજન્મથી થયેલ કર્મ દોરી જાય
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
મળેલ માનવ દેહને કર્મની કેડી મળે,જે જીવનમાં કર્મ થતા સમજાય
બીજા અનેકદેહ છે અવનીપર,જેને કદીય ના કોઇ જ સમજણ થાય
અદભુત લીલા અવીનાશીની છે જગત પર,જે સમય સમયે જ દેખાય
માનવજીવનની છે એકજ કેડી,જે નિર્મળજીવન જીવતા અનુભવ થાય
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
નિરાધાર દેહ મળે જીવને જગતપર,જેને પશુપક્ષીપ્રાણીજાનવર કહેવાય
પરમાત્માની આ કેડી કહેવાય,જે થયેલ કર્મના બંધને દેહ આપી જાય 
જીવને મળેલ માનવદેહને પાવનરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખી ભક્તિ થાય
નિર્મળરાહ મળે પ્રભુની જીવને,જે અનેક સ્વરૂપે ધરતીપર આવી જાય 
....એ અવનીપર અનેકદેહથી ઓળખાય,જે પશુપક્ષીપ્રાણીમાનવથી ઓળખાય.
===========================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment