November 5th 2018

અદભુત કૃપા

.               .અદભુત કૃપા   

તાઃ૫/૧૧/૨૦૧૮                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને અનુભવનીગંગાનો સંગાથ મળે,જીવનમા અનેકરાહ એ આપી જાય
કુદરતની આ અદભુતકૃપા અવનીપર,અનેક જન્મના સબંધથી દેહને મળી જાય
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
દેહ મળેલ જીવને સગાસંબંધીઓનો સહવાસ,જે દેહને અનેક સાથ આપી જાય
આગમનવિદાયની કેડી એતો દેહને,કરેલ કર્મનાસંબંધથી જીવનમાંરાહ દઈ જાય
પાવનરાહનો સાથમળે દેહને અવનીપર,જ્યાં નિર્મળભાવથી શ્રધ્ધા ભક્તિ કરાય
ના જીવનમાં કોઇ આશા રહે દેહની,કે ના કદી કોઇ અપેક્ષા જીવનમાં રખાય 
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
નિર્મળજીવનનો સંગાથ મળે પ્રભુકૃપાએ,જે દેહને અનેકરીતે શાંંન્તિ આપી જાય
મળેલ માનવ દેહને પવિત્ર કર્મનો સંગાથ મળે,જે પરિવારને ઉજવળ કરી જાય
કરેલ કર્મ એજ જીવનો સંબંધ છે અનેકદેહથી,જે સમય સમયે મળતો થઈ જાય
એ લીલા છે પરમાત્માની અવનીપર,જે જીવને આગમનવિદાયનો સંગંધ દઈજાય
.....મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ જ સમજાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment