January 4th 2019

જીવનને જકડે

.            . જીવનને જકડે  
તાઃ૪/૧/૨૦૧૯                     પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આ અજબલીલા અવનીપર,સમયની સાથે ચાલતા જીવનેએ સમજાય
આગમન વિદાય એ જીવનુ થયેલકર્મ દેહથી,જે જન્મમરણનો સાથ આપી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
મળેલ માનવદેહ એજ કૃપા પરમાત્માની,જીવને સમયનીસાથે સમજણ દઈ જાય
જગતપિતાની અદભુતલીલા અવનીપર,કળીયુગ ને કુદરતની સાથેજ સ્પર્શી જાય
નાકોઇ જ માનવદેહની તાકાત જગતપર,કે નાકોઇ જ જીવથી પણ દુર રહેવાય
થયેલ કર્મ એજ સમયની લીલા જીવપર,જે મળેલ દેહના જીવનનેજ જકડી જાય 
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
પાવનકર્મથી સરળરાહનો સાથ મળે દેહને,એ નિર્મળભાવનાથી પુંજા કરાવી જાય
શ્રધ્ધા ભાવનાથી કરેલ ભક્તિ જીવનમાં,પાવનકુળને પરમાત્મા કૃપા અપાવી જાય
કળીયુગમાં ના કોઇ મોહ અડે,કે ના કોઈજ માગણી જીવનમાં કદી દેહથી રખાય
એ પવિત્રરાહ દેહ મેળવી જતા,મળેલમાનવદેહને સત્માર્ગની પાવનરાહ મળી જાય
.....પાવનકર્મ એ સત્કર્મનો સંગાથ આપે,જે જીવને શ્રધ્ધા ભક્તિનો માર્ગ આપી જાય.
================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment