January 23rd 2019

સ્નેહનો સહવાસ

.           .સ્નેહનો સહવાસ       

તાઃ૨૩/૧/૨૦૧૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી પરમાત્મા જગતમાં,પાવનરાહ મળેલ દેહને આપી જાય
સમજણનો સંગાથ મળે જીવનમાં,જે અનેક સંબંધે દેહને સ્નેહથી મળી જાય 
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
કર્મધર્મનો સંબંધ છે અવનીપર મળેલદેહને,જે સમયને સંગે દેહને દોરી જાય
શ્રધ્ધા રાખીને નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા,પરમાત્માનીજ કૃપા થઈ જાય
સુખનો સાગર જીવનમાં પ્રસરતા,ના કોઇ આધી કે વ્યાધી દેહને મળી જાય
મળે સ્નેહીઓનો સહવાસ જીવનમાં,જે દેહને અજબ રાહે સુખ આપી જાય
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
મળેલ માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાએ જીવાય
કર્મની પાવનકેડી મળે મળેલદેહને,જે નિખાલસ જીવનસંગે પ્રેમ આપી જાય
માનવતાની મહેંક પ્રસરે જગતપર,એ અનેકજીવોને મળેલદેહને સમજાઈ જાય
જીવનમાં નાકોઇ અપેક્ષાનો સંગ રાખતા,જીવને મળેલ જન્મ સફળ કરી જાય
.....માગણી મોહને સમજીને જીવતા,જીવનમાં અનંતપ્રેમની વર્ષા પ્રભુકૃપાએ થઈ જાય.
=================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment