January 25th 2019

આઝાદ દીન

*Image result for આઝાદ દીન*

.            .આઝાદ દીન        

તાઃ૨૫/૧/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ધરતી જગતમાં ભારત છે,જે અનેક જીવોને સન્માન આપી જાય
આઝાદી મળી અંગ્રેજોથી દેશને,એજ ભારતનો આઝાદ દીવસ કહેવાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
સફળતાનો સહવાસ મળે માનવજીવને,જ્યાં માનવતાને સાચવીને જીવાય
હિંન્દુ ધર્મનુ સન્માન ધરતી પર,જે ધર્મને સાચવી દેશને પવિત્ર કરી જાય
તનમનધર્મને સાચવી પાવનરાહ,મહાત્માગાંધી વલ્લભભાઇપટેલ આપીજાય
નિર્મળજીવન સંગે નાઅપેક્ષા કદી રાખી,જે દેશને જગતમાં ઉત્તમકરી જાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
જનગણમન અધીનાયક સંગે ધ્વજને વંદન કરીને,સ્વતંત્ર દીવસને ઉજવાય
અનેક ધરતીપર રહેતા ભારતીયો સંગે મળીને,ધ્વજનુ એસન્માન કરી જાય
પાવનપ્રેમ પવિત્ર ભારતભુમીને કરતા,કર્મધર્મ સાચવીને જગતમાં જીવીજાય
એજ સન્માન છે દેશનુ અવનીપર,જગતમાં તેને પવિત્ર ભુમી પણ કહેવાય
......પવિત્રદેવોની કૃપાએ ૨૬મી જાન્યુઆરીએ,પવિત્રભુમી ભારત આઝાદ થઈ જાય.
**************************************************************
      મારા પવિત્રદેશ ભારતને સ્વાતંત્રદીવસે દુનીયાના દેશોમાં ધ્વજને વંદન કરી 
મુળ ભારતીયો દેશનુ સન્માન કરી દેશભક્તિ ગીત ગાઈ આનંદ અનુભવે છે.તે નિમીત્તે
આ કાવ્ય પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી સપ્રેમ દેશ ભક્તોને ભેંટ.
==============================================================
  

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment