January 25th 2019

જીવની શાન

.             .જીવની શાન

તાઃ૨૫/૧/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
મળેલ દેહને સંબંધ છે અવનીનો,જે પરમાત્માની કૃપાએ દેહ મળે સમજાય
માનવદેહને કર્મનીકેડી મળે જીવનમાં,દેહને અનેકકર્મનો સંબંધ આપી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને કર્મથી,જે મળેલદેહને સમય સંગે લઈ જાય
અવનીપર પવિત્રભુમી ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ આવી જાય
લીધેલ દેહથી માનવ દેહને પ્રેરણા આપવા,શ્રધ્ધા ભક્તિની રાહે દોરી જાય
સંસારની સંગે જીવન જીવીને ભારતમાં,દુનીયામાં પવિત્ર દેશ બનાવી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
જીવને મળેલદેહની માનવતા પ્રસરે,એ પાવનકર્મનીરાહ અનેકને આપી જાય
જીવને આવન જાવનનો સંબંધ કર્મથી,એ અવનીપર દેહ મળતાજ સમજાય
મળેલદેહને સમયનોસંગ અડે ઉંમરથી,શ્રધ્ધારાખી પુંજા કરતા કૃપા મેળવાય
પાવનકર્મની રાહ મળે પવિત્રધરતીપર,જે દુનીયામાં જીવનીશાન વધારી જાય
.....પવિત્ર ધરતી પર દેહ મળે જીવને,જે પવિત્રકર્મથી જીવની શાન વધારી જાય.
==============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment