સમય એજ કૃપા
. .સમય એજ કૃપા તાઃ૩૧/૧/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ અવનીપરના દેહને મળે પરમાત્માની કૃપા,જે સમયના સંગે ચાલતા જાય સુખદુઃખનો સંગાથ મળતો જાય જીવનમાં,જયાં પાવનરાહે જીવન જીવાય ......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય. માનવદેહ એ પુર્વજન્મે મળેલ દેહના,થયેલ કર્મ જીવને બંધન આપી જાય સમયને સમજી જીવન જીવતા અવનીએ,પાવનકૃપાએ નિર્મળ ભક્તિ થાય અનેક પવિત્રદેહ ધારણ કરી પધાર્યા પરમાત્મા,જે અનેક નામથી ઓળખાય શ્રધ્ધાસંગે પુંજા કરતા જીવનમાં,પાવનકર્મનો સંગાથ મળતા શાંંન્તિ મેળવાય ......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય. અવનીપર મળેલદેહને સંબંધછે સમયનો,જે બાળપણજુવાની ધડપણથી દેખાય કુદરતની પાવનકૃપાનો અનુભવ થાય દેહને,જે જીવનમાં સત્કર્મને કરાવી જાય જન્મમરણ એ આગમનવિદાય જીવનો છે,એ અનેક દેહનો સંબંધ આપી જાય શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા જીવનમાં,દેહ પર કૃપા થતા શાંન્તિની કૃપા થાય ......આ અદભુતલીલા કુદરતની જગતપર,જીવને મળતા દેહોને એ અનુભવ થાય. ==============================================================