February 11th 2019
. .બમબમભોલે
તાઃ૧૧/૨/૨૦૧૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બમબમભોલે મહાદેવ હર,સંગે ૐ નમ શિવાયનુ સ્મરણ કરાય
ભક્તિમાર્ગની પાવનરાહ મળે,જ્યાં ભોલેનાથની પાવનકૃપા થાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાએ પુજન થાય
પાવનરાહ મળે જીવને,જ્યાં શંકરભગવાનને પુંજાકરી વંદન થાય
અજબશક્તિશાળી છે ભોલેનાથ,સંગે માતા પાર્વતીની કૃપા થાય
શ્રધ્ધાભાવથી અર્ચનાકરતા શીવલીંગપર,ભોલેનાથનો પ્રેમ મેળવાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
પવિત્રગંગાને ભારતમાં લઈ આવ્યા,જે જીવોને મુક્તિ આપી જાય
અવનીપરના આગમનનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
પાવનકૃપા મળે શ્રીશંકર ભગવાનની,જીવને મુક્તિમાર્ગ મળી જાય
આગમન વિદાયની કેડીના મળે જીવને,જ્યાં દેહથી દુર થઈ જાય
......સગે માતા પાર્વતીની કૃપામળે,ને ગજાનંદ ગણપતિનો પ્રેમ મળી જાય.
==========================================================
No comments yet.