February 14th 2019

લીલા સર્જનહારની

.           .લીલા સર્જનહારની
તાઃ૧૪/૨/૨૦૧૯               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહને સંકેત મળે જીવનમાં,જે સર્જનહારની ક્ર્પાએ સમજાય
અવનીપરના આગમનને પારખતા,જીવના થયેલકર્મના સંબંધથી મેળવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
નિર્મળ ભાવનાનો સંગાથ મળે જીવનમાં,જે સત્કર્મની કેડી પકડાઈ જાય
જીવનુ આગમન વિદાય ધરતી પર,મળેલ દેહથી અવનીપર દેખાઈ જાય
સરળજીવનનો સહવાસમળે દેહને,જે જીવપર સર્જનહારર્ની કૃપા કહેવાય
માનવતાની મહેંક પ્રસરે જીવનમાં,એ શ્રધ્ધાભાવનાથી ભક્તિએ મેળવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
સમયના પકડાય જગતપર કોઈ દેહથી,એ પરમાત્માની કૃપાથી સમજાય
માનવદેહને સંબંધ છે કર્મનો જીવનમાં,જે માનવદેહના વર્તનથી દેખાય
મળેલદેહની પાવનરાહ સ્પર્શે જીવોને,જે દેહોને પાવનરાહ આપી જાય
ઉજવળ જીવનની પવિત્રકેડી મળે જીવને,એ જલાસાંઈની ક્રુપા કહેવાય
......આ સર્જનહારની અજબલીલા જગતપર,જે જીવને જન્મ મરણ આપી જાય.
============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment