March 19th 2019

વિઘ્નહર્તા શ્રી ગણેશ

   Image result for વિઘ્નહર્તા શ્રી ગણેશ
.           .વિઘ્નહર્તા શ્રી ગણેશ          

તાઃ૧૯/૩/૨૦૧૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

વિઘ્નવિનાશક વિઘ્નહર્તા ગજાનંદ શ્રી ગણેશ,ભોલેનાથના એ સંતાન કહેવાય
પાવનરાહની આંગળી ચીંધે ભક્તોને,જે શ્રધ્ધારાખી ગજાનંદની પુંજા કરી જાય
.....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય. 
ગજાનંદ ગણપતીની પવિત્રકૃપા અવનીપર,જે નિર્મળભાવથી ભક્તિ કરી જાય
ભાગ્યવિધાતા એ ભારતની પવિત્રભુમીપર,દેહ લઈ માબાપની સેવા કરી જાય
પાવનકર્મની કેડી બતાવી અવનીપર,મળેલ દેહને જીવનમાં સદમાર્ગે લઈ જાય
વિઘ્નહર્તાશ્રી ગણેશના ભાઈ કાર્તિકભાઈ પણ,અવનીપર દેહ લઈને આવીજાય
.....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય. 
માનવદેહને પ્રેરણા મળે નિર્મળ ભક્તિએ,જે જીવનમાં પવિત્રકર્મથી અનુભવાય
નાઅપેક્ષા કદી એદેહને સ્પર્શે,જે મળેલ માનવદેહના વર્તનથી કૃપાએ મેળવાય
કુદરતની અજબ શક્તિ છે અવનીપર,અબજો વર્ષોથી જીવોને એ સ્પર્શી જાય
મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે વિઘ્નહર્તાની પાવનકૃપાથીજ બચાવી જાય
....એ પવિત્ર સંતાન માતા પાર્વતીના,અને રીધ્ધીસીધ્ધીના ભરથાર પણ કહેવાય.
============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment