કળીયુગી વરદાન
. કળીયુગી વરદાન
તાઃ૧૦/૧૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગેથી ના મળતો પ્રેમ,કે નામાગેથી મળતાં ધનદાન
મળતી માયા સંગે રહેવા,એતો છે કળીયુગના વરદાન
. ……………..માગેથી ના મળતો પ્રેમ.
સુંદર કાયાને માયા વળગતાં,જીંદગી આ વેડફાઇ જાય
પ્રેમપ્રેમની રાહ જોતાં જીવનમાં,દેહનો અંત આવી જાય
કળીયુગની આ અજબલીલા.જે સાચી ભક્તિએ સમજાય
વંદન કરતાં જલાસાંઇને,મળેલ આજન્મ સફળ થઈજાય
. ……………….માગેથી ના મળતો પ્રેમ.
મોહમાયાનાછે બંધન સૌને,જગમાં ના કોઇથીય છોડાય
સરળજીવનની એકજ કેડી,જે જીવને ભક્તિમાર્ગ દઈજાય
લાગણી પ્રેમ એ જીવનીજ્યોત,જે આનંદમંગળ કરી જાય
મળે જીવનેકેડી આશીર્વાદની,જે વડીલના વંદને મેળવાય
. ………………માગેથી ના મળતો પ્રેમ.
=========================================