March 15th 2021
##
##
. .ૐ નમઃ શિવાય
તાઃ૧૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે પવિત્ર શંકર ભગવાનથી ઓળખાય
ધરતીને પાવન કરવા જટામાં પવિત્ર ગંગાને લાવી,પવિત્રકૃપાએ વહાવી જાય
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
જગતમાં હિંદુ ધર્મને પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્ર્ધ્ધાએ ૐ નમઃ શિવાય બોલાય
પવિત્રકૃપા કરે પરમાત્મા લીધેલ દેહથી,જે ભક્તોને પવિત્ર ભક્તિ આપી જાય
માતા પાર્વતીની કૃપા મળે ભક્તને,એ શિવલીંગ પર દુધ અર્ચનાએ પ્રેરી જાય
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,એ પરમાત્માની પાવનકૃપાએ સમજાય
પવિત્ર સંતાન શ્રી ગણેશજી,જે મમ્મીપાર્વતી પિતા શંકરના લાડલા દીકરા થાય
જીવનમાં બીજાસંતાન શ્રીકર્તિકેય જન્મ્યા,ને દીકરી અશોકસુંદરી પણ જન્મીજાય
દુનીયામાં શંકર ભગવાનને પાર્વતી પતિ મહાદેવ,સંગે ભોલેનાથથીય ઓળખાય
.....એ પવિત્રદેહ પરમાત્માનો લીધો,જે હિમાલયની પુત્રી પાર્વતીના પતિદેવ કહેવાય.
#####################################################################
March 12th 2021

. .અદભુત્ પ્રેમ
તાઃ૧૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને સંબંધ સત્કર્મનો,જીવનમા એ અનુભવ આપી જાય
પરમાત્માની પાવનકૃપા જગતમાં,મળેલ દેહને અદભુતપ્રેમ આપી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
જીવના દેહને કર્મનો સંબંધ છે,જે ગતજન્મે થયેલ કર્મથીજ મળતો જાય
દેહને રાહ મળે જીવનમાં,એ કળીયુગ સતયુગથી દેહને સ્પર્શ કરી જાય
પાવનપ્રેમ મળે પરમાત્માની કૃપાએ,જે સમયસંગે ચાલતા સમજાઈ જાય
શ્રધ્ધાભાવનાથી જીવન જીવતા,નિખાલસતાથી અદભુત પ્રેમની કૃપા થાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
પરમાત્માએ પવિત્રદેહ લીધા ભારતમાં,જે ભગવાનના નામથીજ ઓળખાય
માનવજીવન જીવી ગયા એ દેહથી,એ માનવદેહને પવિત્રરાહ આપી જાય
કુદરતની પાવનલીલા ભારતદેશથી મેળવાય,હિંદુધર્મને એ પવિત્ર કરી જાય
પ્રભુના દેહના નામથી માળા જપતા,દેહને તનમનધનથી શાંંતિ મળી જાય
....માનવદેહને પવિત્રપ્રેમ મળે,એ દેહને ના આશા ના અભિમાન અડી જાય.
#############################################################
March 11th 2021
##
##
. .શેરડી ગામ
તાઃ૧૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રદેહ પાર્થીવમાંજ લીધો,જે સમયે શેરડીગામમાં આવી જાય
મળ્યોસંગાથ દ્વારકામાઈનો શેરડીમાં,જે બાબાને મદદ કરી જાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
અનેક ધર્મથી માનવદેહ પ્રેરાય,જે પરમાત્માની કૃપા આપી જાય
હિંદુમુસ્લીમ એ દેહને ધર્મ આપી જાય,જ્યાં પાવન પ્રેરણા થાય
સાંઇબાબા એ આંગળીચીંધી,શ્રધ્ધા અને સબુરી કૃપા આપીજાય
ૐ શ્રી સાંઈનાથાય નમઃથી સ્મરણ કરતા,દેહપર કૃપા થઈ જાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
પરમકૃપાળુ દેહ આવ્યો શેરડીમાં.જે ધર્મકર્મનોસંગાથ આપી જાય
પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સાંઈબાબા નીમિત્ત થાય
મોહમાયાને દુર રાખીને ભક્તિ કરતા,જીવને પાવનરાહ મળી જાય
દેહના જીવને સમય સંગે ચાલતા,બાબાની કૃપાએ મુક્તિ મળીજાય
....મળેલ માનવદેહને પ્રેરણા મળી,જે શ્રધ્ધાસબુરીની સમજણ આપી જાય.
===========================================================
March 10th 2021

. .પવિત્ર જ્યોત
તાઃ૧૦/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ,
પવિત્રકૃપાળુ માતા જગતમાં,જે ભારતમાં માતા લક્ષ્મીનો દેહ લઈ જાય
જીવને મળેલદેહપર માતાની કૃપામળે,જ્યાં શ્રધ્ધાએ માતાને વંદન થાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
કુદરતની પવિત્રકૃપા થાય જીવપર,જે માનવદેહ મળતા જીવને સમજાય
પરમકૃપાળુમાતા દુનીયામાં,એ પવિત્ર વિષ્ણુ ભગવાનના પત્નિ કહેવાય
હિંદુધર્મમાં શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,જીવ પર પરમાત્માની કૃપા થાય
પવિત્ર નિર્મળરાહ મળે જીવનમાં,ના કદી કોઈ અપેક્ષા જીવનમાં રખાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
જગતમાં ભારત પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુ ધર્મને પવિત્ર કર્યો છે જગતમાં,જે મળેલદેહને સુખશાંંતિ આપી જાય
નિર્મળ ભાવથી શ્રધ્ધાએ ભક્તિકરતા,પવિત્ર લક્ષ્મીમાતાની પાવનકૃપા થાય
માતા લક્ષ્મીની કૃપામળે દેહને,સાથે શ્રી વિષ્ણુ ભગવાનની કૃપાય થઈજાય
....અજબ પવિત્રમાતા હિંદુ ધર્મમાં,જે પવિત્રભારતથી દુનીયાપર કૃપા કરી જાય.
################################################################
March 5th 2021
++
++
. .પ્રેમનો સમય
તાઃ૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને સંબંધ છે અવનીપર,જે પ્રભુકૃપાએ જન્મમરણથીજ મેળવાય
કુદરતની લીલા જગતમાં સચવાય,એ દેહના કર્મથીજ મળતી જાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
અવનીપરના આગમનનો સંબંધ,જીવને મળતા દેહથી મળતો જાય
પવિત્રરાહ મળે મળેલદેહને અવનીપર,જ્યાં શ્રધ્ધાભાવથી પુંજા થાય
પરમાત્માની પુંજાકરવા અનેકદેહથી,ભારતમાં પવિત્રદેહથીઆવી જાય
શ્રધ્ધારાખીને વંદન કરતા મળેલદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
જન્મમરણનો સંબંધ છે જીવને,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
અનેકદેહથી જીવને જન્મમરણથી મૅળવાય,જે થયેલકર્મથી મળી જાય
દેહને અવનીપર આવવા પ્રાણીપશુ,જાનવરનો દેહ પંણ મળતો જાય
જન્મ મળે માનવદેહનો જીવને ધરતીપર,પ્રભુના પ્રેમના સંબંધથી મળે
....મળેલ માનવદેહને અવનીપર,નિર્મળપ્રેમ મળતા સમય સમજાઈ જાય.
********************************************************
March 5th 2021
**
***
. .અવનીનો આધાર
તાઃ૫/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમપ્રેમથી કૃપા કરતા અવનીપર,જે પ્રત્યક્ષદેવ સુર્યદેવ કહેવાય
અબજોવર્ષોથી જીવને મળેલદેહને,દરરોજ સવારસાંજ આપીજાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગત જન્મે થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પાવનકૃપા જીવપર,જે પશુપક્ષીપ્રાણીથી છોડી જાય
અવનીપર આવીને કર્મનો સંબંધ થાય,જે પ્રભુની કૃપાથી સમજાય
સુર્યદેવના આગમને સવાર પડે,અને વિદાયે સાંજથી રાત મેળવાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
શ્રધ્ધાભક્તિ મળેલદેહથી મેળવાય,જ્યાં પાવનકૃપા પરમાત્માની થાય
સતયુગ કળીયુગ એ સમયનોસ્પર્શ,જગતમાં નાકોઇજ દેહથી છટકાય
પાવનરાહ પામવા સુર્યદેવને શ્રધ્ધાભાવથી,વંદન કરીને અર્ચનાય કરાય
જે મળેલદેહને સમયનો સંગાથઆપે,એ જીવનાદેહની માનવતા મહેંકાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
###########################################################
March 2nd 2021
. .સંગાથ સમયનો
તાઃ૨/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા પરમાત્માની અવનીપર,સમય સંગે ચાલતા દેહને સમજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મે કરેલકર્મથી મળતો જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
અનેકદેહ એકુદરતનીકૃપા ધરતીપર,પશુપક્ષીનો દેહ નિરાધાર કહેવાય
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,અનેકકર્મનીરાહ મળતી જાય
ઉંમરથી નાકોઇ છટકીશકે જીવનમાં,સમયસાથે ચાલતા અનુભવ થાય
કળીયુગની રાહ જગતમાં જીવને સ્પર્શી જાય,ના કોઇથી કદી છટકાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
જન્મ મળે જીવને જે સંતાન કહેવાય,માબાપની પાવનકૃપાએ મેળવાય
જીવનોદેહ એ આગમનવિદાયથી દેખાય,જે જન્મમરણથી મળતો જાય
પવિત્રકૃપાએ દેહને ભજનભક્તિની રાહમળે,એ દેહને શ્રધ્ધાથી સમજાય
મળેલદેહપર પાવનકૃપા પ્રભુની થાય,જે અંતે જીવને મુક્તિ આપી જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
***********************************************************
February 28th 2021
***
***
. .નિખાલસ પ્રેમી
તાઃ૨૮/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નામાયા નામોહ કે અપેક્ષા અડે,જ્યાં નિખાલસ પ્રેમ મળતો થાય
કુદરતની પવિત્રરાહ મળતા દેહથી,નિર્મળભાવનાથીજ ભક્તિ થાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
જીવને દેહમળે એથયેલકર્મનો સંબંધ,જીવને આવનજાવનથી દેખાય
અવનીપરના આગમનને પ્રેમનો સ્પર્શ,જે દેહને આનંદ આપી જાય
પશુપક્ષીને દુર રાખી માનવદેહ મળે,એ પવિત્ર કૃપાથી જ મેળવાય
પાવનકર્મની રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા ભાવથીજ ભક્તિ કરાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
સમયની સાથે ચાલતા મળેલ દેહને,ના કળીયુગની કાતર અડી જાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જીવને પાવનરાહ બતાવી જાય
માનવદેહની માનવતા પ્રસરે જીવનમાં,એ પવિત્રપ્રભુની કૃપા કહેવાય
સુખશાંંતિના વાદળસ્પર્શે દેહને,જ્યાં નિર્મળ નિખાલસપ્રેમ મળી જાય
....મળેલદેહને નિખાલસ પ્રેમીઓનો પ્રેમ મળે,જે પ્રભુની કૃપાથી મળી જાય.
***********************************************************
February 27th 2021

. .શ્રી મહાવીર
તાઃ૨૭/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જગતમાં,જે અજબશક્તિશાળી થઈ જાય
પવનદેવનો પ્રેમ મળ્યો માતાઅંજનીને,જે અવનીપન પવનપુત્ર કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અનેક પવિત્રનામથી ઓળખાય,જે બાહુબલી મહાવીર હનુમાન કહેવાય
જીવનમાં અજબશક્તિનો ઉપયોગ કરી,શ્રી રામના ભાઈને બચાવી જાય
ભાઇ શ્રીલક્ષ્મણ બેભાન થયા,તો સંજીવનીમાટે પર્વત ઉચકી લાવી જાય
પવિત્રભક્તિ કરતા પરમાત્મા શ્રીરામને,વંદનસહિત સત્કર્મથી મદદ કરાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અજબ શક્તિથી ઓળખાય જે ઉડીનેજઈ,રામપત્નિ સીતાને શોધી જાય
મળીકૃપા પરમાત્માની દેહને,જે શક્તિશાળી લંકાના રાવણને હરાવી જાય
સીતાજીને શોધીને શ્રીરામને મદદ કરી,અંતે રાજારાવણનુ દહન કરી જાય
એપવનપુત્ર હનુમાન કહેવાય,જે સુર્યદેવની પુત્રી સુવર્ચલાના પતિ કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
################################################################
February 26th 2021

. .પવિત્રકૃપાળુ
તાઃ૨૬/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ પરમાત્માની કૃપા છે,જગતમાં એ સુર્યનારાયણથી ઓળખાય
અબજો વર્ષોથી ભુમીપર કૃપા કરે,જે જીવનમાં સવારસાંજથીજ મેળવાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
અવનીપર મળેલદેહને સંબંધ કર્મનો,જે જીવને આવનજાવન આપી જાય
માનવદેહ એ કૃપા પરમાત્માની કહેવાય,મળેલદેહને સમજણ મળી જાય
સુર્યદેવની પરમકૃપા ધરતીપર,જે જગતમાં દેહને દીવસરાતથીજ મેળવાય
સમયને સમજી ચાલતા માનવદેહને,મંદીરમસ્જીદ અને ચર્ચમાં દર્શન થાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
સુર્યનારાયણની સવારમાં અર્ચનાસંગે દર્શનકરતા,શરીરનુ સ્વાસ્થ સચવાય
મળેલદેહને નાકોઇ દવા કે તપાસની જરૂર પડૅ,નાઆર્થીક તકલીફ થાય
એજકૃપા સુર્યદેવની મળેલદેહ પર,એ સરળ જીવનનો સંગાથ આપી જાય
પરમાત્માએ અનેકદેહ લીધા ભારતમાં,જે જન્મમરણના સંબંધથીજ દેખાય
...અજબ શક્તિશાળી એ દેવ છે,જગતમાં ૐ હ્રી સુર્યાય નમઃથીજ પુંજન થાય.
##############################################################