March 2nd 2021

સંગાથ સમયનો

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું- આ સમય પણ વીતી જશે | time is  powerul than everything says lord krishta to arjun - Gujarati Oneindia
.          .સંગાથ સમયનો

તાઃ૨/૩/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા પરમાત્માની અવનીપર,સમય સંગે ચાલતા દેહને સમજાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ગતજન્મે કરેલકર્મથી મળતો જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
અનેકદેહ એકુદરતનીકૃપા ધરતીપર,પશુપક્ષીનો દેહ નિરાધાર કહેવાય
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલતા,અનેકકર્મનીરાહ મળતી જાય
ઉંમરથી નાકોઇ છટકીશકે જીવનમાં,સમયસાથે ચાલતા અનુભવ થાય
કળીયુગની રાહ જગતમાં જીવને સ્પર્શી જાય,ના કોઇથી કદી છટકાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
જન્મ મળે જીવને જે સંતાન કહેવાય,માબાપની પાવનકૃપાએ મેળવાય
જીવનોદેહ એ આગમનવિદાયથી દેખાય,જે જન્મમરણથી મળતો જાય
પવિત્રકૃપાએ દેહને ભજનભક્તિની રાહમળે,એ દેહને શ્રધ્ધાથી સમજાય
મળેલદેહપર પાવનકૃપા પ્રભુની થાય,જે અંતે જીવને મુક્તિ આપી જાય
...આ અદભુતલીલા છે પરમાત્માની,જે દેહને સંગાથ સમયનો આપી જાય.
***********************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment