June 12th 2012

લઈને આવજો

.                    .લઈને આવજો

તાઃ૧૨/૬/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

બારણે આવી ઉભો રહ્યો છું,લઈને આવજો પ્રેમનો સંગ
નિર્મળ પ્રેમની પોટલી સાથે,આવી લેજો ઉમંગનો રંગ
.                …………………બારણે આવી ઉભો રહ્યો છું.
જ્યોતજીવનમાં પ્રગટીપ્રેમની,જલાસાંઇની ભક્તિ દેણ
માગતાપહેલા મળ્યો મને,જગતજીવન સાર્થકના વ્હેણ
લાગણી પ્રેમની અજબકેડી છે,દેહને ઉમંગો આપી જાય
નિર્મળતાના વાદળવરસતા,કળીયુગી હવા ભાગી જાય
.                …………………બારણે આવી ઉભો રહ્યો છું.
પધારજો પ્રેમથી અમારે દ્વાર,લઈને સાચો ભક્તિ પ્રેમ
મળશે અખંડશાંન્તિ જીવને,નારહે જીવનમાં કોઇ વ્હેમ
સાચીશક્તિ ને પવિત્રરાહ,દેજો જલાસાંઇજીવને અનેક
પ્રેમપામજોપરમાત્માનો,જેજીવનામુક્તિદ્વારખોલીજાય
.                ………………….બારણે આવી ઉભો રહ્યો છું.

++++++++++++++++++++++++++++++++++++

June 9th 2012

વૈભવ

.                    .વૈભવ

તાઃ૯/૬/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી જાય મનથી માગેલુ,જો જીવનમાં એક જ વાર
શાંન્તિ સુખને શરણે જાતાં,વૈભવની વર્ષા થઈ જાય
.                  ………………… મળી જાય મનથી માગેલુ.
ક્યાંથી ક્યાં મન લઈ જાય દેહને,ના માનવીને સમજાય
મળતી માયા ભાગે દુર જીવનમાં,ના કોઇથીય પકડાય
અણસાર દેહને મળે મનથી,જે સમજદારને જ સમજાય
મળેવૈભવ અવનીએ જીવને,જે કળીયુગેલબદાવી જાય
.                   …………………મળી જાય મનથી માગેલુ.
મળી જાય પ્રેમ જલાસાંઇનો,જે નિર્મળ ભક્તિ દઈ જાય
સાર્થકજીવન જીવી જવાને,અંતરથીજ વંદન પણ થાય
પળપળનો સંકેતમળે કળીયુગે,જેજીવનેરાહ આપીજાય
ધનવૈભવને બારણે મુકતાં,નામોહ કળીયુગનોઅથડાય
.                   …………………મળી જાય મનથી માગેલુ.

=======================================

June 7th 2012

અંધારી રાત

.                   .અંધારી રાત

તાઃ૭/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંધકારમાં જ્યાં નૈયા ચાલે,ના રાહ સાચી મેળવાય
અહીંતહીં ભટકી ચાલતાદેહે,આ જીંદગી વેડફાઇજાય
.                    ………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
શાંન્તિશોધવા જ્યાંદીવો લીધો,ત્યાં અગ્નિ ભડકી જાય
નાઆવી આરાધના કરેલી,જ્યાં દેખાવની ભક્તિ થાય
લાગણી મોહને માયા વળગી,જીવની રાહ ખોવાઇ ગઈ
નિર્મળતાનો સાગર છુટતાં,જીવનેઅંધારીરાત મળીગઈ
.                   ………………..અંધકારમાં જ્યાં નૈયા ચાલે.
માનવી મનને નિર્મળ શાંન્તિ,સાચી ભક્તિએ મળી જાય
શીતળતાનો સહવાસમળે,જ્યાં જલાસાંઇની ભક્તિ થાય
આવે ઉજાસ જીવનમાંસાચો,જીવને મુક્તિમાર્ગ મળીજાય
પરમાત્માની અસીમ કૃપાએ જ,અંધારી રાત ઉજળી થાય
.                    …………………અંધકારમાં જ્યાં નૈયા ચાલે.

======================================

June 4th 2012

ભાગ માનવી

.                  .ભાગ માનવી

તાઃ૪/૬/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સત્કર્મોની કેડી લઈને,જીવનમાં ઉજ્વળતા મેળવાય
દુશ્કર્મોની નાની એક કેડી,દેહને જ્યાંત્યાં ભગાડીજાય
.                             ………………..સત્કર્મોની કેડી લઈને.
લાગણી પ્રેમને દ્રષ્ટિમાં રાખી,માનવ જીવન જીવીજાય
ના આવે વ્યાધી જીવનમાં,મળેલ જન્મ સફળ થઈજાય
સરળતાની કેડી મળે દેહને, ના માગણીઓ કોઇ રખાય
આજકાલને ઉજ્વળ કરવા,પ્રભુ ભક્તિનો સંગ સહેવાય
.                             ………………..સત્કર્મોની કેડી લઈને.
કળીયુગી કટારી જોતાં,માનવી અહીં તહીં છટકી જાય
ના સાથ કે સહેવાસ કોઇનો,એજ તેની અસર કહેવાય
તકલીફની એક જ થાપટ,જીવનને નર્ક બનાવી જાય
સમજ ના પડૅ જીવને જ્યારે,ત્યાં ભાગંભાગ મેળવાય
.                            …………………સત્કર્મોની કેડી લઈને.

====================================

May 22nd 2012

ભુલની ભેંટ

.                        ભુલની ભેંટ

તાઃ૨૨/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની આ માયા એવી,જીવને જન્મ મળે સમજાય
કરુણા સાગર છે અતિ દયાળુ,કૃપા દેહના વર્તને  મેળવાય
.                    ……………….જગતપિતાની આ માયા એવી.
વાણીવર્તન છે દેહના બંધન,મનની સમજણથી મેળવાય
થઈગઈ ભુલ માનવીથીએક,પડીજાય કુદરતની સોટીએક
ઉતાવળે ના આંબા પાકે,એતો સમય આવતાજ ઉગી જાય
એક ભાવના પ્રેમની ન્યારી,માનવીને જીવન જીવાડી જાય
.                  …………………જગતપિતાની આ માયા એવી.
મોહ માયા તો ફરે અવનીએ,સમય પકડતા જ મળી જાય
કુદરતની આછે કૃપા અનોખી,જે એક ભુલની ભેંટ કહેવાય
જીંદગી આખી જકડાઇ જવાની,એતો સમય સમયે દેખાય
નામાગણી કદીકરીહોય જીવનમાં,તોયઆવીને મળી જાય
.                  …………………જગતપિતાની આ માયા એવી.

========================================

May 17th 2012

સંતોષી માનવ

.                    .સંતોષી માનવ

તાઃ૧૭/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણું સાચુ મળે જીવને,ના કોઇ અપેક્ષાઓ  અથડાય
મનને શાંતિ મળતી ચાલે,એ સંતોષી માનવ કહેવાય
.                        ……………….શરણું સાચુ મળે જીવને.
મળે દેહ અવનીએ જીવને,માનવદેહે ઉજ્વળતા મેળવાય
કર્મનાબંધન જીવની સાથે,સંબંધને જગેકોઇથી નાછોડાય
સરળતાની સાંકળ પણ ન્યારી,સંતોષી માનવથી સહેવાય
નિર્મળતાનીકેડી ન્યારી,જે જીવે પ્રેમનીજ્યોત જલાવીજાય
.                        ………………..શરણું સાચુ મળે જીવને.
અપેક્ષા ખેંચે જીવને જગત પર,ત્યાં સમજણ ભાગી જાય
એક પડેલી ઝાપટને ભુલતાં,બીજી આવીનેજ મળી જાય
પ્રકૃતિની છે આકલા જગતમાં,જીવોને અનુભવે સમજાય
આવીમળે કૃપા જલાસાંઇની,સંતોષે જન્મસફળથઈ જાય
.                           ……………….શરણું સાચુ મળે જીવને.

==================++++++++++++++++++

May 14th 2012

મળતી મુંઝવણ

.                    .મળતી મુંઝવણ

તાઃ૧૪/૫/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં મુંઝવણો આવી જાય,જ્યાં જીવનમાંરાહ ખોટી પકડાય
સંતોષની કેડી છુટે જીવનથી,એજ બલિહારી સમયની કહેવાય
.                          ……………….મનમાં મુંઝવણો આવી જાય.
કામણકાયા જગતમાં મળતાં,મતિ કળીયુગમાં ફરતી થાય
આધી વ્યાધી ના આવી શકે,જ્યાં વાતાવરણ સમજાઇજાય
નિર્મળ ભાવના સંગે રાખતાં,આવતી મુંઝવંણ  અટકી જાય
શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,જ્યાં  રાહત મળતી જાય
.                        …………………મનમાં મુંઝવણો આવી જાય.
સરળ કામ એ કૃપા પ્રભુની,જે અનુભવથી ઓળખાઇ જાય
સમજણનો જ્યાં સંગરહે,ત્યાં કામમાં સફળતા મળતીજાય
મોહમાયાને તગેડી દેતાં જીવનમાં,ના મુંઝવણ આવી જાય
ભાગે એતો જીવનમાંથી તરત,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                         …………………મનમાં મુંઝવણો આવી જાય.

======================================

 

May 11th 2012

મળેલી કાયા

.                    મળેલી કાયા

તાઃ૧૧/૫/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં જીવનુ છે અવતરણ,ના કોઇથીય છટકાય
મળે દેહ અવનીએ જીવને,એને પ્રભુ લીલા કહેવાય
.                 ………………જગતમાં જીવનુ છે અવતરણ.
કરેલ કર્મના બંધન જીવને,સંબંધ જીવનમાં બંધાય
એકભુલનો પાઠ મળે,જે અનેક કાયા લઈને ભટકાય
માગણી માનવદેહની,જેનેજગતમાં સમજીનેમંગાય
મળેકૃપા જલાસાંઇની દેહે,એજ સાચી ભક્તિકહેવાય
.                ……………….જગતમાં જીવનુ છે અવતરણ.
લાગણી મોહને છોડીદેતાં,જીવને મળતી ઝંઝટજાય
મળેલ કાયા સાર્થક થાય,જ્યાં જીવ સાચારસ્તે જાય
તક મળે છે જીવને જન્મોમાં,જે  જીવને ઉગારી જાય
જન્મ મરણના બંધન છુટે,એને સદગતી જ કહેવાય
.                ……………….જગતમાં જીવનુ છે અવતરણ.

++++++++++++++++++++++++++++++++++

May 10th 2012

અધોગતિ

.                  .અધોગતિ

તાઃ૧૦/૫/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જીવને અધોગતિ,જ્યાં પાપને પુણ્ય છે સમજાય
આવી જીવ અવનીએ ભટકે,ના જગે તેનાથી છટકાય
.                           …………….મળે જીવને અધોગતિ.
વાણી વાપરતાં વિચારે,ને જીભ પર રાખે જે લગામ
ના કોઇનો શાપમળે દેહને,કે નાકોઇ વ્યાધીઅથડાય
મળેસૌનોપ્રેમ જગતમાં,નેજીવન સફળતાએજીવાય
પ્રભુ કૃપાને વડીલની આશિષ,તે જીવોને મળી જાય
.                          ……………..મળે જીવને અધોગતિ.
વર્તન માનવ જીવનમાં,એ છે ઉજ્વળતાનું સોપાન
નાના મોટાને સમજીને રહેતા,સાથ સૌનો મેળવાય
આગળ પાછળનો સંચાર મળે,ને સરળ જીવન થાય
અવનીપરનાઆગમનને અંતે,સ્વર્ગીયસુખ મળીજાય
.                          ……………..મળે જીવને અધોગતિ.

===================================

May 7th 2012

સંસ્કાર મળે

.                  .સંસ્કાર મળે

તાઃ૭/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર મળે માબાપથી,ના શોધવા ક્યાંય જવાય
મળે એ તો જન્મની સાથે,જે જન્મ સફળ કરીજાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.
ભણતર મળે છે ગુરૂજીથી,જે મહેનતને આપી જાય
મનથી કરેલી મહેનતે જીવે,ધન વૈભવ મળી જાય
મનને શાંન્તિ મળે આવીને,જ્યાં મોહમાયા છોડાય
સાર્થક જીવન જીવી લેતાં,ભક્ત જલાસાંઇને ભજાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.
આશિર્વાદ મળે અંતરથી,ત્યાં સદકર્મોનેજ સમજાય
મારુતારુની માયાભાગે,ત્યાંઅનંત શાંન્તિમળી જાય
પરમાત્માની જ્યાં કૃપા મળે, ત્યાં સંતને વંદન થાય
દ્વાર ખોલતા પ્રભુ પધારે,એજ નિર્મળ ભક્તિ કહેવાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.

#####################################

« Previous PageNext Page »