સંસ્કાર મળે
. .સંસ્કાર મળે
તાઃ૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસ્કાર મળે માબાપથી,ના શોધવા ક્યાંય જવાય
મળે એ તો જન્મની સાથે,જે જન્મ સફળ કરીજાય
. ………………સંસ્કાર મળે માબાપથી.
ભણતર મળે છે ગુરૂજીથી,જે મહેનતને આપી જાય
મનથી કરેલી મહેનતે જીવે,ધન વૈભવ મળી જાય
મનને શાંન્તિ મળે આવીને,જ્યાં મોહમાયા છોડાય
સાર્થક જીવન જીવી લેતાં,ભક્ત જલાસાંઇને ભજાય
. ………………સંસ્કાર મળે માબાપથી.
આશિર્વાદ મળે અંતરથી,ત્યાં સદકર્મોનેજ સમજાય
મારુતારુની માયાભાગે,ત્યાંઅનંત શાંન્તિમળી જાય
પરમાત્માની જ્યાં કૃપા મળે, ત્યાં સંતને વંદન થાય
દ્વાર ખોલતા પ્રભુ પધારે,એજ નિર્મળ ભક્તિ કહેવાય
. ………………સંસ્કાર મળે માબાપથી.
#####################################