ચરણોમાં વંદન
. ચરણોમાં વંદન
તાઃ૧૮/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે જીવનમાં રાહ સાચી,જે ઉજ્વળ જીવન આપી જાય
સંતને ચરણે વંદન કરતાં,ભવોભવના બંધન છુટી જાય
. ………………મળે જીવનમાં રાહ સાચી.
સાચા સંતની દ્રષ્ટિ પડતાં દેહે,મોહ માયા જ ભાગી જાય
ભક્તિની કેડી સરળ બને,ના દેખાવ કોઇ અથડાઇ જાય
કર્મનાબંધન તો સૌ જીવનેવળગે,ના સાધુથીય છટકાય
મુક્તિ મળે જીવને જગતથી,જ્યાં પરમ કૃપાળુ હરખાય
. ………………..મળે જીવનમાં રાહ સાચી.
મારૂતારૂ એ દેહના સ્પન્દન,જે સાચીભક્તિએ ભાગીજાય
જલાસાંઇના ચરણોમાં વંદનથી,ભવસાગર તરી જવાય
આંગણેઆવી ભીખ માગતા પ્રભુજી,વર્તનથી ભાગી જાય
એજ સાચી શ્રધ્ધા ભક્તિ જીવનમાં,જન્મસફળ કરી જાય
. …………………મળે જીવનમાં રાહ સાચી.
+++++++++++++++++++++++++++++++++++++