ગૌરીપુત્ર
. .ગૌરીપુત્ર
તાઃ૨૯/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગજાનંદની અસીમ કૃપાએ,જીવનો જન્મ સફળ થઈ જાય
મળી જાય કૃપા ગૌરીપુત્રની,ના અપેક્ષા જીવનમાં રખાય
. …………………ગજાનંદની અસીમ કૃપાએ.
અવનીપરના આગમનને,ગજાનંદની કલમથી સહેવાય
મળે માનવદેહે જન્મ,કૃપાએ અંતીમ જન્મ પણ થઈજાય
આવતી તકલીફોને દુરકરે,જ્યાં સાચી શ્રધ્ધાએજ ભજાય
ગણપતિની એકજ દ્રષ્ટિએ,જીવનો જન્મ સફળ થઈ જાય
. …………………ગજાનંદની અસીમ કૃપાએ.
રિધ્ધિ સિધ્ધિની અસીમ કૃપાએ,માનવી મન મહેંકી જાય
આવીઆંગણે પ્રેમમળેસૌનો,જીવની લાયકાત બની જાય
ગજાનંદની એકજ કલમે,જીવના જન્મમરણ અટકી જાય
મુક્તિમાર્ગ મળતાંજીવને,ના અવનીએ આંટીઘુંટી બંધાય
. ………………..ગજાનંદની અસીમ કૃપાએ.
===================================