May 18th 2012

મહેંર દીઠી

.                      .મહેંર દીઠી

તાઃ૧૮/૫/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

અનુભવથી અજ્ઞાન માનવી,અહીં તહીં ભટકી જાય
સાચી કેડી મળે સહવાસથી.જે જન્મ સફળકરીજાય
.                 ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
આંધીનો અણસાર મળે જીવને,સરળ જીવન કરી જાય
કર્મ બંધન ના કોઇ યુગે છુટે,એ તો જીવથીજ છે સંધાય
થતાં કામનો સાથ મળે,જે જીવને સરળતા આપી જાય
કુદરતની એમહેંર દીઠીમેં,જે સાચી શ્રધ્ધાએમળી જાય
.                  ……………….અનુભવથી અજ્ઞાન માનવી.
સુખદુઃખની છે સાંકળ ન્યારી,જે અનુભવે જ મળી જાય
કરેલ કર્મની સીધી સાંકળ,જીવને સદમાર્ગેજ લઈ જાય
મોહમાયાની કાતર એવી,જીવના સદકર્મોથી છટકાય
મળીજાય જીવનમાં દેહે,ત્યાં જીવ જન્મોજન્મ ભટકાય
.                …………………અનુભવથી અજ્ઞાન માનવી.

====================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment