મળેલી કાયા
. મળેલી કાયા
તાઃ૧૧/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવનુ છે અવતરણ,ના કોઇથીય છટકાય
મળે દેહ અવનીએ જીવને,એને પ્રભુ લીલા કહેવાય
. ………………જગતમાં જીવનુ છે અવતરણ.
કરેલ કર્મના બંધન જીવને,સંબંધ જીવનમાં બંધાય
એકભુલનો પાઠ મળે,જે અનેક કાયા લઈને ભટકાય
માગણી માનવદેહની,જેનેજગતમાં સમજીનેમંગાય
મળેકૃપા જલાસાંઇની દેહે,એજ સાચી ભક્તિકહેવાય
. ……………….જગતમાં જીવનુ છે અવતરણ.
લાગણી મોહને છોડીદેતાં,જીવને મળતી ઝંઝટજાય
મળેલ કાયા સાર્થક થાય,જ્યાં જીવ સાચારસ્તે જાય
તક મળે છે જીવને જન્મોમાં,જે જીવને ઉગારી જાય
જન્મ મરણના બંધન છુટે,એને સદગતી જ કહેવાય
. ……………….જગતમાં જીવનુ છે અવતરણ.
++++++++++++++++++++++++++++++++++