સંતોષી માનવ
. .સંતોષી માનવ
તાઃ૧૭/૫/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરણું સાચુ મળે જીવને,ના કોઇ અપેક્ષાઓ અથડાય
મનને શાંતિ મળતી ચાલે,એ સંતોષી માનવ કહેવાય
. ……………….શરણું સાચુ મળે જીવને.
મળે દેહ અવનીએ જીવને,માનવદેહે ઉજ્વળતા મેળવાય
કર્મનાબંધન જીવની સાથે,સંબંધને જગેકોઇથી નાછોડાય
સરળતાની સાંકળ પણ ન્યારી,સંતોષી માનવથી સહેવાય
નિર્મળતાનીકેડી ન્યારી,જે જીવે પ્રેમનીજ્યોત જલાવીજાય
. ………………..શરણું સાચુ મળે જીવને.
અપેક્ષા ખેંચે જીવને જગત પર,ત્યાં સમજણ ભાગી જાય
એક પડેલી ઝાપટને ભુલતાં,બીજી આવીનેજ મળી જાય
પ્રકૃતિની છે આકલા જગતમાં,જીવોને અનુભવે સમજાય
આવીમળે કૃપા જલાસાંઇની,સંતોષે જન્મસફળથઈ જાય
. ……………….શરણું સાચુ મળે જીવને.
==================++++++++++++++++++