January 10th 2012
……………………. ચાલ ભઈ ચાલ
તાઃ૧૦/૧/૨૦૧૨…………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનની ઝંઝટને તોડવા,મળતી આફતોને છોડવા
માનવતાને મહેંકાવા,જીવનની કેડીએચાલતો રહેજે
ભઈ આફતોને ટાળવા,સદાજીવનમાં ચાલતો રહેજે
. ………………………………………જીવનની ઝંઝટને તોડવા.
એકમેકેનો સાથ મળે કે નામળે,હૈયે હીંમત તું ધરજે
શ્રધ્ધા રાખી ભરેલ પગલે,સાથ જલાસાંઇનો મળશે
હિંમતમનથી સાચીકરતાં,સફળનુ તને શરણુ મળશે
ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,જન્મસફળ થઈ જશે
. ………………………………………..જીવનની ઝંઝટને તોડવા.
સરળતાનો સહવાસ જોતાં,દ્રષ્ટિ ખરાબમનની પડશે
નિર્મળ ભાવના સંગે રાખતાં,ઉજ્વળ કામ સૌ મળશે
આધી વ્યાધી દુર રહેતાં,તારા કામ સરળ પણ થશે
સાચી રાહે ચાલી રહેતા,જીવનમાં પ્રેમ સૌનો મળશે
. …………………………………………જીવનની ઝંઝટને તોડવા.
===============================
January 8th 2012
……………..કદરને પાત્ર
તાઃ૮/૧/૨૦૧૨ ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદર મેળવવા જીવનમાં,ના જોઇએ પાટી કે પેન
શ્રધ્ધા એજ કેડી છે મનની,જે નીમિત બની જાય
. ………………………………………….કદર મેળવવા જીવનમાં.
લગન જ્યાં મનથીલાગે,ત્યાં નિર્મળતા મળી જાય
નિર્મળતાનો સાથ મળે,ત્યાં સઘળુય સચવાઇ જાય
નાની મોટી આફત ભાગે,ને સૌકામ સરળપણ થાય
કદરથાય ત્યાં કરેલકામની,જેને રાહ સાચી કહેવાય
. …………………………………………..કદર મેળવવા જીવનમાં.
સુખદુઃખ સાથે ચાલે જીવનમાં,ત્યાં મહેનત મલકાય
પકડી ચાલતા એક કેડીને,સરળતાનો સંગ થઈજાય
અવનીપરના આગમને,જીવથી મતી ગતી સચવાય
આજ નહીંતો કાલ સુધરશે,જે મુક્તિ માર્ગ દઈ જાય
. ……………………………………………કદર મેળવવા જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++
January 6th 2012
…………………..રાત્રીનો સહવાસ
તાઃ૬/૧/૨/૨૦૧૨ ………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ,ને જીભ પણ સચવાય
મળે જગતમાં શાંન્તિશાંન્તિ,એસહવાસ રાત્રીનો કહેવાય
. …………………………………તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
જીવનેમળે જ્યાં દેહજગતમાં,દીવસરાત તેનાથી જોવાય
દીવસસંગે મહેનતરાખતાં,દેહને ઉજ્વળજીવન મળીજાય
રાત્રીનો અણસારમળે સંધ્યાએ,ત્યાં જીવ ભક્તિએ દોરાય
મનથી મળેલ ભક્તિએ જીવનો,આ જન્મ સફળ થઈજાય
. …………………………………તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
અંધકારની ચાદર આવતાં દેહે,મનથી જલાસાંઇ ભજાય
દેહપર ચાદરઓઢતા પથારીએ,પરમાત્માનીકૃપા જથાય
ભક્તિ એક અજબશક્તિ છે,જેનાથી દેહનેસુખ મળી જાય
પ્રભાતની પોકાર સાંભળાતા કાને,વિદાય રાત્રીને દેવાય
. ………………………………….તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
============================================
December 29th 2011
……………….સદગતીનો માર્ગ
તાઃ૨૯/૧૨/૨૦૧૧……………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્મરણ સવારે પ્રેમથી કરતાં,ઉજ્વળ જીવન દેહને મળતાં
આંગણે આવી જલાસાંઇ રહેતાં,ભક્તિમાર્ગ જીવનમાં દેતાં
. ……………………………………….સ્મરણ સવારે પ્રેમથી કરતાં.
ઉજ્વળ પ્રભાતના કિરણોજોતાં,નિર્મળપ્રેમની જ્યોત દેતા
મોહમાયાને દેહથી દુર કરતાં,પ્રભુભક્તિની રાહ મેળવતા
શીતળ સ્નેહની વર્ષાવરસતાં,જીવને શાંન્તિ સ્નેહે મળતાં
કૃપા પ્રભુની જીવને મળતાં,મુક્તિ માર્ગની દોર નિરખતાં
. …………………………………….. સ્મરણ સવારે પ્રેમથી કરતાં.
કર્મનીકેડી શીતળ બનતી,પવિત્રરાહ જ્યાં જીવને મળતી
સગા સ્નેહની ત્યાં પ્રીતપુકારે,જ્યાંબારણે સાચાસંત આવે
તનમન ધનથી શીતળ જીવન,ભક્તિ આપે પ્રીત નિર્મળ
રામનામની પ્રીતછે ન્યારી,અંતે જીવને એ મુક્તિ દેનારી
. ………………………………………સ્મરણ સવારે પ્રેમથી કરતાં.
============================================
December 26th 2011
…………… ….. સંમૃધ્ધિ
તાઃ૨૬/૧૨/૨૦૧૧ ……….. …. પ્રદીપ બ્રહ્મભટ્ટ
કદમ કદમને પુછી ચાલતા,માર્ગ સરળ થઈ જાય
મોટીનાની વ્યાધી ભાગતા,આજીવન ઉજ્વળ થાય
. …………………………………….કદમ કદમને પુછી ચાલતા.
મનમાં રાખી શ્રધ્ધાસાચી,ત્યાં કર્મ સરળ પણ થાય
જીવન જીવતાં નિર્મળયુગે,કળીયુગ દુર ભાગી જાય
સ્નેહની સાંકળ દેહને ખેંચે,ના ઉભરોય પ્રેમનો થાય
કૃપા મળતા જલાસાંઇની,આ જન્મ સફળ થઈ જાય
. ……………………………………કદમ કદમને પુછી ચાલતા.
વાણીવર્તન પકડીરાખતા,ના તકલીફ કોઇ મેળવાય
મળે વણ અપેક્ષાએ જીવનમાં,જે કલ્પનામાં ના હોય
મુંઝવણભાગે બારણું જોઇ,નિર્મળસ્નેહ જ્યાંઉભો હોય
જન્મ સફળની કેડી મળતા,જીવ મુક્તિએ ખુશ થાય
. ……………………………………કદમ કદમને પુછી ચાલતા.
===========================================
December 22nd 2011
……………….જીવની પ્રકૃતિ.
તાઃ૨૦/૧૨/૨૦૧૧………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
ધનવૈભવની ના માયા અમને,કે ના અપેક્ષાય રખાય
ઉજ્વળજીવન જલાસાંઇથીમળતાં,જન્મસફળ થઇજાય
…………………………………ધનવૈભવની ના માયા અમને.
લાગણી કદીના માગી મનથી,કે ના જીવને દુભાવાય
સમયની કેડી સમજી લેતાં,સાચીરાહ પણ મળી જાય
ડગલું એક જીવનમાંભરતાં,મનથી વિચાર હજારથાય
સફળતાની દરેક કેડીએ,જીવને અનંતઆનંદપણથાય
………………………………….ધનવૈભવની ના માયા અમને.
મળતી રાહ જીવનમાં એવી,જે સદમાર્ગેજ દોરી જાય
આફતો આઘી મુકીદે,નેસફળતાના સોપાનો મેળવાય
જીવને મળેલ આમાનવ જન્મ,સાર્થક કર્મોથી બંધાય
ઉજ્વળ કેડી જીવનમાં મળતાં,પ્રભુ કૃપાય મળી જાય
…………………………………..ધનવૈભવની ના માયા અમને.
+++++++++++++++++++++++++++++++
December 13th 2011
પ્રભુ કૃપા
તાઃ૧/૧૨/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે કૃપા પ્રભુની જીવને,મળેલ જન્મ સફળ થઈ જાય
જીવનેમળેલ શાંન્તિએ,આદેહનું કલ્યાણ પણ થઈ જાય
. ……………મળે કૃપા પ્રભુની જીવને.
સફળજીવનની જ્યાં રાહમળે,ત્યાં કર્મપણ પાવન થાય
આજકાલને આંબી લેતાં, જીવને મુક્તિમાર્ગ મળી જાય
નિર્મલ પ્રેમની ગંગા વહેતા,ના આધી વ્યાધી અથડાય
મળે કૃપા જ્યાં જલાસાંઇની,ત્યાં જન્મ સફળ થઈ જાય
. ……………મળે કૃપા પ્રભુની જીવને.
શાંન્તિશોધવા જીવભટકે જ્યાં,ત્યાં ના કદીયમેળવાય
દેખાવનીદુનીયા દુરકરતાં,સાચી ભક્તિરાહ મળીજાય
માગણી મોહને માયા મુકતાં,સ્વર્ગીય સુખ મળી જાય
કુદરતની આ ન્યાયી કૃપાએ,જીવનો જન્મ છુટી જાય
. …………….મળે કૃપા પ્રભુની જીવને.
===================================
December 2nd 2011
. પસંદગી
તાઃ૭/૧૧/૨૦૧૧ (અમદાવાદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન જીવવા આદેહને,જીવનો સંગાથ મળી જાય
નિર્મળતાની સાંકળ મળતાં,આ જીવન મહેંકી જાય
. …………….જીવન જીવવા આદેહને.
કદીક થઈ જતાં કામમાં,જીવે કૃપા પ્રભુની થઈ જાય
માનવતાની મહેંક સંગે,પામર આજીવન મહેંકી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,ના આધીવ્યાધી અથડાય
આજકાલની ના કોઇ રામાયણ,જે જીવને પકડી જાય
. …………….જીવન જીવવા આદેહને.
રામનામની માળાજપતાં,સાચી પસંદગી જીવથીથાય
કુદરતની આઅતુટલીલા,જીવનો જન્મસફળ કરી જાય
મળતી માયા દેહને યુગમાં,અગ્નિ અપવિત્ર થઈ જાય
એકજ ચિંતન મનથી કરતાં,આજીવને સ્વર્ગ મળીજાય
. ……………..જીવન જીવવા આદેહને.
—————————————————–
November 1st 2011
. વાણીવર્તન
તાઃ૧/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દેહ મળતાં માનવીનો જીવને,અવની એ આવી જાય
મળે જીવને સાર્થક જન્મ,જો દેહે વાણીવર્તન સચવાય
. …………..દેહ મળતાં માનવીનો જીવને.
કામણગારી કાયા મળતાં જીવે,મોહમાયા વળગી જાય
કળીયુગની એક જ લહેર મળે,જે આ દેહને જકડી જાય
સમજી વિચારી શબ્દ બોલતાં,વાણી ત્યાં સચવાઇ જાય
મળતીમોહની કેડીઓને છોડવા,મળેલ માર્ગને સમજાય
. ………….દેહ મળતાં માનવીનો જીવને.
દેહને મળેલ ઝંઝટના સોપાનને,સમજી વિચારીને ચઢાય
આફત આવતી દુર રહે દેહથી,જ્યાં વર્તન પ્રેમ દઈ જાય
મળે સાથ સંગાથીઓને સાચો,પ્રેમના બંધન જ્યાં બંધાય
ભક્તિપ્રેમની છે પ્રીત નિરાળી,જે અંતરને શાંન્તિ દઈજાય
. …………..દેહ મળતાં માનવીનો જીવને.
*******************************************
November 1st 2011
. ૧-૧૧-૧૧
તાઃ૧-૧૧-૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના એકડાને ભાગી શકે કોઇ,કે ના અગીયારનેય ભગાય
સાલ પણ એવી મજબુત,કે તેને પણ ના કોઇથી છેદાય
. …………..ના એકડાને ભાગી શકે કોઇ.
કુદરતનીકેડી નિરાળી જગતમાં,ના માનવીથી સમજાય
સરળ રાખી સ્વભાવ જીવનમાં,શાંન્તિનો સાથ મેળવાય
એકડોએકલો ગણાયજગતમાં,પણનાતેને કોઇથી અંબાય
છોને જગતમાં સંધાયઅનેક,તોયતેને જગમાં નાતોડાય
. ……………ના એકડાને ભાગી શકે કોઇ.
શ્રધ્ધાને વિશ્વાસ રાખીચાલતાં,નિર્મળ જીવનને મેળવાય
ભક્તિભાવને સંગે રાખતાં,એકએક્નો સંગાથ મળતોજાય
એકડો પકડી સગેરાખતાં,આવતીકાલે એ અગીયાર થાય
મોહમાયાનો માર્ગ છોડતાંજ,જીવ પર પ્રભુકૃપા થઈ જાય
. ……………ના એકડાને ભાગી શકે કોઇ.
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ