પસંદગી
. પસંદગી
તાઃ૭/૧૧/૨૦૧૧ (અમદાવાદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવન જીવવા આદેહને,જીવનો સંગાથ મળી જાય
નિર્મળતાની સાંકળ મળતાં,આ જીવન મહેંકી જાય
. …………….જીવન જીવવા આદેહને.
કદીક થઈ જતાં કામમાં,જીવે કૃપા પ્રભુની થઈ જાય
માનવતાની મહેંક સંગે,પામર આજીવન મહેંકી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,ના આધીવ્યાધી અથડાય
આજકાલની ના કોઇ રામાયણ,જે જીવને પકડી જાય
. …………….જીવન જીવવા આદેહને.
રામનામની માળાજપતાં,સાચી પસંદગી જીવથીથાય
કુદરતની આઅતુટલીલા,જીવનો જન્મસફળ કરી જાય
મળતી માયા દેહને યુગમાં,અગ્નિ અપવિત્ર થઈ જાય
એકજ ચિંતન મનથી કરતાં,આજીવને સ્વર્ગ મળીજાય
. ……………..જીવન જીવવા આદેહને.
—————————————————–